દાહોદ: દાહોદ નગરમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે.

Dahod
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

આગામી ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટની દાહોદમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. કોરોના વાયરસની સ્થિતિની ધ્યાને રાખીને આ ઉજવણી સામાજિક નિયમોના સંપૂર્ણ પાલન સાથે થાય એ રીતે આયોજન કરવા માટે આજે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ વખતની ઉજવણી માટે સરકાર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે, તે મુજબ દાહોદમાં રાષ્ટ્રીય પર્વની સૂંપર્ણ ગરિમા સાથે ઉજવણી કરવામાં આવશે. કલેક્ટર ખરાડીએ જણાવ્યું હતું કે, માત્ર આમંત્રિતોની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. દેશભાવનાને ઉજાગર કરનારા સાંસ્કૃતિ કાર્યક્રમોની ડિઝીટલ માધ્યમથી પ્રસ્તુતિ કરવામાં આવશે.

સ્વાતંત્ર્ય પર્વના ઉજવણીમાં ધ્વજવંદન કરનારા મહાનુભાવશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવાના બદલે માત્ર સલામી ઝીલવામાં આવશે. તે બાદ પ્રજાજોગ સંદેશો આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે. આઝાદી પર્વનો ઉત્સાહ જનજનમાં જાગે એ માટે દાહોદ નગરમાં આવેલી સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવશે. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લોકો જીવંત નિહાળી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ માહિતી ખાતાના ફેસબૂક અને ટ્વીટર હેન્ડલ ઉપર લાઇવ ટેલીકાસ્ટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની લિંક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમ કલેક્ટરશ્રી ખરાડીએ ઉમેર્યું છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે, પ્રાયોજના વહીવટદાર શ્રી બી. ડી. નિનામા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *