રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આ વર્ષે રાખડીના વેપાર માં ઘરાકી ઓછી નિકળતા વેપારીઓ ને મુદ્દલ પણ વસુલ થાય તેમ લાગતું નથી. રાજપીપળા : સમગ્ર દેશ જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે લોકડાઉન દરમિયાન લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા આંશિક છૂટછાટ મળી પરંતુ હજુ વેપારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો જણાતો નથી હાલ રક્ષાબંધન જેવા મોટા તહેવાર ને ફક્ત એક જ દિવસ બાકી છે ત્યારે રાજપીપળાના બજારોમાં રાખડીના વેપારમાં મંદી જણાઈ આવે છે ઘરાકી ન નીકળતા વેપારીઓ મુશ્કેલી માં મુકાયા છે ઉપરાંત કોરોના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો રેડઝોન જાહેર કરી સીલ કરાયા છે જેમાં એક પણ કેસ ન હોવા છતાં મુખ્ય બજાર એવું માર્કેટ રોડ ને પણ તંત્ર દ્વારા સીલ કરતા વેપારીઓની હાલત કફોડી બની છે.
રાખડી નો વેપાર કરતા વેપારીઓ ના જણાવ્યા મુજબ રાજપીપળા માં માર્કેટ રોડ સીલ કરાયો છે ત્યારે અન્ય જગ્યાઓ ઉપર નાના પાયે રાખડીનો વેપાર કરીએ છે પણ મંદી નો માહોલ છે ઘરાકી નથી ઉપરાંત વેપાર માં નુકશાની જવાનું અને મુદ્દલ રકમ પણ નહિ નીકળે તેવું વેપારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે.