ગીર સોમનાથ: ઉનામાં પશુ દવાખાનાનું નવું બિલ્ડિંગ મંજૂર કરવા માંગ.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડાએ લાગતા વળગતા અધિકારીને આવેદન પત્ર આપી ને જણાવ્યું કે ઉના શહેરનાં મધ્યમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં પશુ દવાખાનું આવેલ છે. આ દવાખાનાનું બિલ્ડીંગ તથા સ્ટાફ ક્વાર્ટર એકદમ જર્જરીત હાલતમાં છે. ત્યારે આજુબાજુના પશુપાલકો માટે આ નજીકનું દવાખાનું હોય અહીં નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જેને કારણે હજારો પશુપાલકો ને ફાયદો તથા લાભ થઈ શકે એમ છે. તો આપની કક્ષાએથી વિશાળ પશુપાલકો ના હિતને ધ્યાનમાં રાખીને નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવે એવી રજૂઆત રસિકભાઈ ચાવડા એ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *