આવાઝ ભારતી – ગુજરાતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતા GRS અજીત ચૌહાણને ફરજમુક્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ખોટી હાજરી દર્શાવવા બાબતે કરવામાં આવી.
કાલોલ તાલુકો પણ મનરેગા ના કામોમાં ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે તેવા માં કાલોલ તાલુકા માં ખરેખર કેટલા કામો થયા .. કેટલા જોબકાર્ડ ડમી છે કે કામો ની ગુણવત્તા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યાં છે, કાલોલ તાલુકાના કેટલાક અધિકારીઓ પણ શંકા દાયરા માં હોઈ તેવું લાગી રહ્યું છે લોકો ની એકજ માંગ છે કે યોગ્ય તપાસ કરવા માં આવે.
તપાસમાં બહાર આવ્યું લાભાર્થીના મસ્ટર માં ખોટી હાજરી બતાવવામાં આવી હતી, અને આ ગેરરીતિ તાલુકા વિકાસ અધિકારીને ધ્યાનમાં આવતા હાજરી રદ કરવામાં પણ આવી હતી. તદ્દ ઉપરાંત પેમેન્ટ સ્ટોપ કરવાની કાર્યવાહી કરવામાં આવી .DRDA (જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી) ડાયરેક્ટરે તાલુકા વિકાસ અધિકારીના અહેવાલના ગંભીરતાને ધ્યાનમાં લઈને GRS અજીત ચૌહાણને કરાર આધારિત નોકરીમાંથી ફરજમુક્ત કર્યા છે.


ફેબ્રુઆરી માસમાં ગોધરા તાલુકા વિકાસ અધિકારીને જોબકાર્ડમાં ખોટી હાજરી અને ખોટી ડિમાન્ડની માહિતી મળી હતી. આ મામલે GRS ને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. પરંતુ GRS તરફથી કોઈ જવાબ ના આવત તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા કક્ષાએ અહેવાલ મોકલ્યો હતો.
