હાલોલ , કાલોલ , ગોધરા માં વૃક્ષારોપણ.. એક પેડ માં કે નામ નું આયોજન કરવામાં આવ્યું.
પંચમહાલ મિરર ડેસ્ક.
- કાલોલ ખાતે નિર્માણાધીન વન કવચમાં વાવેતરના શ્રી ગણેશ.
- સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે વૃક્ષારોપણ.












પંચમહાલ જિલ્લાના કાલોલ સ્મશાન ભૂમી નજીક નિર્માણાધીન વન કવચ ખાતે એક પેડ માઁ કે નામ અંતર્ગત આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિનના ઉપલક્ષમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં વન કવચ ખાતે વિવિધ જાતિ – પ્રજાતિના સેંકડો છોડના રોપણ સાથે ભાવિ પેઢીઓને પર્યાવરણનો સ્વચ્છ વરસો આપવાને લઈ વૃક્ષોના જતન – સંરક્ષણ અને સંવર્ધનના પ્રાસંગીક સંકલ્પો લેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસની પ્રથમ ઉજવણી 1937માં કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પૃથ્વી પરનું પ્રદૂષણ ઘટાડવાનો છે. જેમાં દરિયાઈ પ્રદૂષણ સહિતના તમામ પ્રકારના પ્રદૂષણને નિયંત્રિત કરવાનો સમાવેશ થાય છે.
હિન્દુ સ્મશાન ભૂમિ અને ગોમા તટના સંગમે વનવિભાગ દ્વારા લાખોના ખર્ચે નિર્માણાધીન વન કવચમાં વાવેતરના શ્રી ગણેશની આ તકે કાલોલ તાલુકા ભાજપા પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ શહેર ભાજપા મંડળ પ્રમુખ કલ્પેશ પારેખ, નગર પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, પાલીકા સદસ્યો, વન વિભાગ વતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર યશપાલસિંહ પુવાર, સ્ટાફ કર્મીઓ સમેત ભારતીય જનતા પાર્ટીના નામી – અનામી હોદ્દેદારો, કાર્યકરો, સામાજિક કાર્યકરો અને નગર અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વન કવચ નગરજનો માટે શહેલગાહનું સ્થળ બની રહેશે તેવો આશાવાદ ઉપસ્થિતોએ વ્યક્ત કર્યો હતો.

