Panchmahal / મનરેગા યોજના કાલોલ માટે દલા તરવાડી જેવી?!. વાંચો વધુ વિગત.

breaking Gujarat Kalol Latest Madhya Gujarat


ધર્મેશ વિનુભાઈ પંચાલ – એડિટર


મનરેગા… એટલે ભ્રષ્ટાચારનો કૂવો, સરકારની જરૂરિયાત મંદ માટે બનાવેલી યોજના ભ્રષ્ટાચારીઓ માટે લાભદાયી…


સત્તાધારી જૂથ નો ચહેરો કે વહીવટી જૂથનો ચહેરો કોઈ એક અથવા સંયુક્ત રીતે ચીભડા કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.


પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકામાં  મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં મસમોટા કૌંભાંડ થયા ના અનેકો વાર આક્ષેપો લાગ્યા છે રજાઓ ના દિવસો માં પણ હાજરી પૂરી નાણાં નો વહીવટ અને મૂળ લાભાર્થી ના  ખાતા માં નહિ નાખી અન્યો પોતાના મળતીયાઓ ના ખાતા માં પૈસા જમાં કરવી ઉપડ્યા હોવા ના આક્ષેપો લોકમુખે ચર્ચા માં છે.




સમગ્ર તાલુકા માં જમીન સમતળ , ચેક ડેમ , માટી – મેટલ ના રસ્તાઓ હોઈ કે અન્ય કોઈ કામો માં ભ્રષ્ટાચાર ખૂબ થયો હોઈ તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે તેવા માં કાલોલ તાલુકાના મનરેગા વિભાગના અધિકારીઓ દ્વારા એકજ ફોટા બતાવી અલગ અલગ કામો ના બીલો પાસ થયા હોવાનું જાણવા મળેલ છે અને જો કામો થયા છે તો કેમ અલગ અલગ કામો ( વર્ક ઓર્ડર નંબર અલગ) અને ફોટો એક એવું કેમ?.. એ પણ એક શંકા નો વિષય છે.


પરંતુ કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને મનરેગા વિભાગ ના અધિકારીઓ નિંદ્રાધીન મુદ્દા માં હોય તેમ લાગી રહ્યું છે તેનું કારણ શું??? મીઠી ક્રીમ નો આસ્વાદ નીચે થી ઉપર સુધી ના અધિકારીઓ એ માણ્યો છે કે શું?.!


થોડા સમય પૂર્વે પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકામાં આવેલ સમા ગ્રામપંચાયત માં પણ મનરેગામાં થયેલ ભ્રષ્ટાચાર મામલે RTI કરવા માં આવેલ આવી હતી પરંતુ RTI બાબતે  અરજદાર ને મનરેગા માં કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર થયો હોય તે નકારી જવાબ આપવા આવ્યો હતો. ત્યાર બાદ  આજ મામલે અરજદાર દ્વારા PMO માં રજૂવાત કરતા પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ કાલોલ તાલુકા ના અધિકારી ને તટસ્થ તપાસ કરી રિપોટ કરવા આદેશ કરેલ હવે જોવાનું એ રહ્યું કે કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને મનરેગા ટીમ શું તપાસ કરે છે???અરજદાર ના જણાવ્યા અનુસાર તાલુકા વિકાસ અધિકારી એ એકજ જવાબ તારીખો બદલી ને પણ આપ્યો હતો જેમાં એકજ રટણ કરવા માં આવ્યું હતું કે ભ્રષ્ટાચાર થયો નથી…



અગાઉ પણ કાલોલ તાલુકામાં પણ ઉપલા અધિકારીએ તપાસના આદેશ આપતા કાલોલ તાલુકા તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર ઉપર રાતોરાત ભીનું સંકેલવા માટેના પ્રયાસો કર્યા હતા.

સમગ્ર કાલોલ તાલુકા મનરેગા જોબકાર્ડ બનાવવા માં પણ મસમોટો ભ્રષ્ટાચાર હોવાના દાવા થઈ રહ્યા છે , જોબકાર્ડ ધારક ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા હોય, સારી આવક ધરાવતા હોય સરકારી,અર્ધ સરકાર કે પછી પ્રાઇવેટ નોકરિયાત જે સારો પગાર ધરાવતા હોય તેવા લોકો ના પણ જોબકાર્ડ બનાવવામાં આવ્યા હોવાનું ની રજૂવાતો અનેકોવાર કરવા માં આવી છે પરંતુ આ જાડી ચામડીના  એક પણ અધિકારીઓ દ્વારા કોઈ પણ પગલા લેવા માં આવ્યા નથી.

છેલ્લા પાંચ વર્ષમાં કૌભાંડીઓ દ્વારા ખોટા જોબકાર્ડ તેમજ ખોટા આધારકાર્ડ અને ખોટા એકાઉન્ટ લિંક કરીને લોકોને જે સાચી સહાય મળે છે, તે પણ મળવાપત્ર રહી નથી. જેમાં કિસાન સન્માન નિધિ, વિધવા સહાય વૃદ્ધ સહાય તેમજ પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત 17,500 જે લાભાર્થી ને પ્રધાનમંત્રી આવાસ મળેલ છે તેની મજૂરી જોબ કાર્ડથી ચૂકવવામાં આવે છે. તે પણ આ મનરેગાના કૌભાંડીઓ પોતાના જોબકાર્ડ નાખી આ આવાસ ધારકોની મજૂરીના નાણાં પડાવી લીધાના આક્ષેપો અને સવાલો ઉઠવા પામ્યા છે.

સમગ્ર બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો મસમોટ બહુ વ્યાપક પ્રમાણ માં ભ્રષ્ટાચાર સામે અવની સંભાવનાઓ છે..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *