નર્મદા જિલ્લામાં સારવાર હેઠળના સાજા થયેલા સાત કોરોના દર્દીઓને રજા અપાઈ.

Corona Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા માં સોમવારે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી: આજની સ્થિતિએ રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દરદીઓ સારવાર હેઠળ

ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૨૫ સેમ્પલ મોકલાયા

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી

મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તરફથી આજે તા. ૨૯ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં કોરોના વાયરસ કોવિડ-૧૯ નો નવો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓ પૈકી સાત દરદીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના ૪૪ દરદીઓને રજા અપાતા આજની સ્થિતિએ કોવિડ હોસ્પિટલ ખાતે હવે કુલ ૪૪ દરદીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે કુલ ૨૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.તેમજ કોરોના વાયરસ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *