રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
કોરોના મહામારીથી પ્રજા આર્થિક પરસ્થિતિથી મુંજાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે વેરા વધારો કરવાની માંગ ચીફ ઓફિસર અને સભ્યો દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે આર્થિક સહાયતા કરવાના સમયે આર્થિક બોજ વધારવાનુ કાર્ય
કરવાની શરુઆત કરેલ છે ત્યારે રાજપીપલા નગરપાલિકા દ્વારા કરુણ કોરોનાની મહામારીનો લાભ ઉઠાવી ફરતો ઠરાવ પસાર કર્યો હતો તે દરમિયાન રાજપીપલાના નગરજનો દ્વારા અગાઉ પણ વાંધા અરજી આપવામાં આવેલ છે તેમ રાજપીપલાની જનતા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજુ બાજુના વિસ્તારોમાંથી નગરપાલિકા માંથી ફરી ૨૬/૫/૨૦૨૦ ના રોજ 132 વાંધા અરજી આપવામા આવેલ છે. નગરપાલિકા દ્વારા આ વાંધા અરજીઓ સ્વીકારી રસીદ આપવામાં આવી હતી.
પ્રજાની તરફે નિર્ણય લે તેવી ચીફ ઓફિસર તથા નગરપાલિકા કર્મચારીઓ અને સભ્યો પાસે વાંધા અરજી મળવાથી વેરો વધારવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી.