રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કોરોના મહામારીને પગલે હાલ લોકડાઉન અમલી બનાવાયું છે.હાલમાં અન્ય રાજ્યોના ઘણા લોકો ગુજરાતમાં ધંધા રોજગારી અને અભ્યાસ અર્થે આવ્યા છે અને લોકડાઉનમાં તેઓ ફસાઈ જતા પોતાના વતનમાં જવાની રાહ જોઈ રહ્યા હતા.નર્મદા જિલ્લામાં પણ પશ્ચિમ બંગળાના એવા 400 થી લોકો ફસાયેલા હતા.નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એવા લોકોને ખાસ પોતાના વતન રાજ્યમાં પહોંચડા વ્યવસ્થા કરાઈ છે.નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર, ડેડીયાપાડા, સાગબારામાં અટવાયેલા લોકો પોતાના માદરે વતન રવાના થયા હતા.
નર્મદા જિલ્લાના 5 તાલુકાઓમાં ભારત માંથી આવેલા પર પ્રાંતિઓને વહીવટી તંત્ર દ્વારા તેમનું મેડિકલ ટેસ્ટ કરાવીને 5 જેટલી બસો દ્વારા વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા, ત્યાંથી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ રવાના કર્યા હતા.છેલ્લા 2 મહિનાથી અટવાયેલા પર પ્રાંતિઓ માં દેવલીયા ખાતે આવેલા “બચ્ચો કા ઘર” મુસ્લિમ મદરેશાના 10 થી વધુ નાના મોટા બાળકોનો પણ સમાવેશ થાય છે.જેમાં એક મુસ્લિમ બાળકે જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી અમે અમારા ઘરે ગયા નથી, આજે અમે ઘરે જઈએ છે આજે અમને ઈદથી પણ મોટી ખુશી મળશે, એમ જણાવતા એમની આંખો માંથી ખુશીના આશુ સરી પડ્યા હતા.