નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-કોઠી ગ્રામજનોનો મતદાન અધિકાર છીનવાઈ જવા બાબતે કલેક્ટરને આવેદન..

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા-કોઠી ગામના ગ્રામજનોનું મતદાન અધિકાર છીનવાઈ જવા બાબતે નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આશિષ તડવી અને શૈલેષ તડવીના જણાવ્યા મુજબ ગામના ૨૦ થી ૩૦ વ્યકિઓના નામ નવેમ્બર-૨૦૨૦ માં BLO-૨૬૬ (કોઠી પ્રાથમિક શાળા) ખાતે દાખલ કરવા આપ્યા હોય છતા આજ દિન સુધી તે નામ યાદીમાં લેવામાં આવ્યા નથી, જે બાબતે ગત તા. ૨૮/૦૧/૨૦૨૧ તથા તે પહેલા પણ ૨-૩ વાર રજુઆત કરવામાં આવી હતી. તથા તા: ૪/૦૨/૨૦૨૧ ના રોજ ગુરૂડેશ્વર મામલતદારમાં કરવામાં આવેલી પરંતુ તે બાબતે એવું પ્રતિત થઈ રહ્યુ છે કે તેમને કોઈ ચિતા નથી.

આમ અત્યાર સુધી કોઈપણ જવાબ ન મળતા સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં અમારા જેવા ૨૦-૩૦ મતદારોનો મત આપવાનો હક્ક અધિકાર છિનવાઈ રહયો છે. જે ગંભીર બાબત હોય માટે તેની યોગ્ય કાર્યવાહી થાય અને અમને ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવતા આ આવેદન આપતા જ કલેક્ટર એ પ્રાંત અધિકારી સાથે ટેલીફોનીક વાત કરતા આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *