પંચમહાલ: શહેરા તાલુકાના બામરોલી ગામમાં બાવળના ઝાડ ઉપર હાથ બાંધેલા અને દોરડા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર.

Latest Madhya Gujarat shera

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના નિશાળ ફળિયામાં રહેતા રયજીભાઈ ઉર્ફે કાળુભાઈ પરમારના ૧૮ વર્ષીય પુત્ર અશોકની લાશ તેઓના જ ખેતરમાંથી હાથ બાંધેલ અને દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાવળના ઝાડ ઉપરથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે, મૃતક અશોકના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના સમયે અશોક ઘરે હતો ત્યારે તેના મોબાઈલ પર કોઈનો ફોન આવતા તે બહાર નીકળી ગયો હતો.ત્યારબાદ રાત્રિએ યુવક અશોક તેના ઘરે પરત ના આવતા પરિવારજનો ભારે ચિંતિત થઈ ઉઠયા હતા, જ્યારે આજરોજ વહેલી સવારે અશોકની લાશ ખેતરમાંથી મળી આવતા આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ગ્રામજનો દ્વારા શહેરા પોલીસ મથકે જાણ કરવામાં આવતા શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એન.એમ.પ્રજાપતિ અને પોલીસ સબ ઇન્સપેક્ટર જે.કે.ભરવાડ સહિતના પોલીસ સ્ટાફે બનાવ સ્થળે પહોંચીને યુવાનની લાશને બાવળના ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસ સમક્ષ મૃતક અશોકના પરિવારજનો પોતાના લાડકા દીકરાની હત્યા થઈ હોવાનું રટણ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે મૃતક યુવાનના પગ જમીનને અડી રહેવાની સાથેસાથે હાથ બાંધેલી હાલતમાં ઝાડ ઉપર લાશ લટકી રહેલ હાલતમાં સ્થાનિક ગ્રામજનો અને તેના પરિવારજનોને જોવા મળતા સ્થળ ઉપર યુવાનની હત્યા થઈ હોવાની ચર્ચા થઈ રહી હતી. ત્યારે ખરેખર યુવાનની હત્યા થઈ છેકે નહીં તે તો પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે. હાલ તો આ બનેલા બનાવમાં પરિવારજનોના હત્યાના આક્ષેપ વચ્ચે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *