દેડીયાપાડાના કાબરીપઠાર ગામે મકાન સળગાવી 1.50 લાખનું નુકસાન કરનાર સામે ફરિયાદ

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડાના કાબરીપઠાર ગામમાં એક જ ફળીયા માં રહેતા એક વ્યક્તિએ બીજ વ્યક્તિના ઘરને આગ ચાંપી કરી લાખોનું નુકસાન કર્યાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડાના કાબરીપઠાર ગામના પંચાયત ફળીયા માં રહેતા મગનભાઇ દેવજીભાઇ વસાવા આપેલી ફરિયાદ મુજબ ફળિયાના ભરતભાઇ મગનભાઇ વસાવા એ તેમનું ધર નાશ કરવાના ઇરાદે સળગાવી દેતા તેમના ઘર ની તમામ ધરવખરી મળી આશરે રૂ.૧,૫૦,૦૦૦/- નુકશાન કર્યું હતું. પોલીસે મગન ભાઈ ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *