રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આજે જેઠ મહિનાની પૂર્ણિમા છે આજ ના દિવસે સૌભાગ્યવતિ મહિલાઓ એ પોતાના પતિના લાંબા આયુષ્ય અને તેમની તંદુરસ્તી સારી રહે તે માટે વડલાની પુંજા કરતી હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામમા પણ પરણિત મહિલાઓ એ પોતાના પતિના દીર્ગ આયુષ્ય માટે વટ સાવિત્રી નું વ્રત કર્યું હતું.
આજના દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે ઉપવાસ રાખે છે. માનવામાં આવે છે કે આ દિવસે સાવિત્રીએ યમરાજથી તેના પતિનું જીવન પાછું લાવ્યું હતું. જેથી ભારતમાં આ ઉપવાસને વટ સાવિત્રી તરીકે ઉજવવામાં આવે છે. જેથી આજે વહેલી સવારથી જ સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં વડની પુંજા કરી તેની આસપાસ પ્રદક્ષિણા કરી સુત્તરની આંટી વીંટાળી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.