અમદાવાદ જિલ્લાના વિરમગામમા મહિલાઓ એ તેમના પતિની લાંબી ઉમર માટે વડ સાવિત્રી વ્રત કર્યું.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

આજે જેઠ મહિનાની પૂર્ણિમા છે આજ ના દિવસે સૌભાગ્યવતિ મહિલાઓ એ પોતાના પતિના લાંબા આયુષ્ય અને તેમની તંદુરસ્તી સારી રહે તે માટે વડલાની પુંજા કરતી હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામમા પણ પરણિત મહિલાઓ એ પોતાના પતિના દીર્ગ આયુષ્ય માટે વટ સાવિત્રી નું વ્રત કર્યું હતું.

આજના દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે ઉપવાસ રાખે છે. માનવામાં આવે છે કે આ દિવસે સાવિત્રીએ યમરાજથી તેના પતિનું જીવન પાછું લાવ્યું હતું. જેથી ભારતમાં આ ઉપવાસને વટ સાવિત્રી તરીકે ઉજવવામાં આવે છે. જેથી આજે વહેલી સવારથી જ સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં વડની પુંજા કરી તેની આસપાસ પ્રદક્ષિણા કરી સુત્તરની આંટી વીંટાળી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *