મોરબી જિલ્લામાં બે દિવસ ભારે વરસાદના પગલે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ રાખવામાં આવી.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હવામાન વિભાગની મોરબી જિલ્લામાં ૧૬, ૧૭ ના રોજ ભારે વરસાદના પગલે ખેડૂતોને કપાસની હરાજીનો માલ વરસાદના પગલે બગડે નહીં તેવા હેતુથી હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સેક્રેટરીએ બે દિવસ હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતો પોતાનો કપાસનો માલ લઈને ત્યાં આવી શકશે, પરંતુ શનિ-રવિ બે દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે. ત્યારબાદ સોમવારથી રાબેતા મુજબ શરુ કરવામાં આવશે. મોરબી જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી હોવાનું જાહેર કરતા, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વેપારીઓએ મળીને આ ‌નિર્ણય લીધો હતો. પરંતુ ખેડૂતો પોતાનો માલ સામાન ખેતરમાં વરસાદના પગલે પલળીને બગડી ન જાય તે માટે માર્કેટિંગ યાર્ડમાં લાવી શકાશે. આ અંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આગામી શનિ-રવિ ના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોરબી જીલ્લામાં ભારે વરસાદની આગાહી હોવાથી ખેડૂતો પોતાના ખેતરમાંથી માલસામાન માર્કેટયાર્ડમાં લાવી શકશે. પરંતુ હરાજી સોમવારથી શરુ કરવામાં આવશે. આ નિર્ણય ખેડૂતના હિતમાં લેવામાં આવ્યો છે તેમ જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *