નર્મદા જિલ્લામાં વધુ ૦૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : કુલ આંક ૮૪૩ એ પહોંચ્યો.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં રાજપૂત ફળિયું ૦૧ નાંદોદ ના નિકોલી૦૧ ભદામ ૦૨ જીતનગર ૦૧ સિસોદ્રા ૦૧ ગરુડેશ્વર ના અકતેશ્વર ૦૧ કોઠી ૦૧ નાના પીપરિયા ૦૧ તિલકવાળા ૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૭ દર્દી દાખલ છે આજે ૧૩ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૮૮ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૪૩ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *