ગીર સોમનાથ જિલ્લામાં ૨૧ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૪૦૫૩૪ વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

જિલ્લાના ૭૪૧ ગામોને આરોગ્ય રથથી આવરી લઈ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી…

ગુજરાત સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી ઘરબેઠા આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથની ટીમો દ્રારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ૨૧ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૪૦૫૩૪ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૩૭૦ તાવના, ૭૨૦૫ શરદી-કફ, ૫૩૮ ડાયાબીટીસ અને ૬૩૯ હાઇબ્લડ પ્રેસરના દર્દી નોંધાયા તેમજ ૧૦૯ દર્દીને રીફર કરાયા હતા. ૭૪૧ ગામોને આરોગ્ય રથથી આવરી લઈ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ૨૧ ધનવંતરી રથ કાર્યરત કરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ધનવંતરી આરોગ્ય રથ અને આર.બી.એસ.કે.ની ટીમના ડો. દ્રારા કોરોના વાયરસના પોઝીટીવ આવેલ વિસ્તાર, હોટસ્પોટ વિસ્તારમ, વધુ માત્રામાં લોકોનું સ્થળાંતર હોય તેવા વિસ્તાર અને સ્લમ વિસ્તાર પહોંચી નાના બાળકો, બી.પી, ડાયાબીટીસ, કેન્સર, એચ.આઈ.વી, ફેસ્સાની બિમારી અને શંકાસ્પદ દર્દીઓની તપાસ આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે. તેમજ રોગપ્રતિકારક શક્તિવર્ધક હોમીયોપેથીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ગામમાં અથવા અર્બન વિસ્તારમા, સાઈટ પર, નક્કિ કરેલ વિસ્તાર અને હોમ ટુ હોમ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. હાઈરીસ્ક, કો-મોબીડ લોકોને રીવર્સ કોરોન્ટાઈનમાં રહેવા માટે તેમજ તકેદારી રાખવા લોકોમાં આરોગ્ય વિષયક અને કોરોના વાયરસ પ્રત્યેની જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામાં આર.બી.એસ.કે. આરોગ્યની ટીમ દ્રારા અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકોનું કોવીડ-૧૯ મહામારી અંતર્ગત તમામનું થર્મલ સ્ક્રીનીંગ કરી આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *