બ્રિટિશ PM બોરિસ જોનસન રિવરફ્રન્ટ ફેસિંગ હોટેલના બુલેટપ્રૂફ સ્યૂટમાં રોકાશે.

પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન અમદાવાદથી તેમની ભારત યાત્રા શરૂ કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાત રિજન્સીમાં રોકાશે. તેમનો બુલેટપ્રુફ સ્યુટ રિવરફ્રન્ટ ફેસિંગ છે. બ્રિટિશ ડેલિગેશન માટે હોટેલના 9મા અને 10મા માળ સહિત 80 રૂમ બુક કરવામાં આવ્યા છે. હાલમાં બ્રિટિશ વડાપ્રધાન […]

Continue Reading

‘સરકાર આપને દ્વાર યોજના’ ફરી શરૂ કરાશે,રાજ્ય સરકારની 24 યોજનાઓની માહિતી આપવા અધિકારીઓ દોડશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની અવરજવર રાજ્યમાં વધી રહી છે. ભાજપ દ્વારા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક પછી એક કાર્યક્રમો ગોઠવાઈ રહ્યાં છે. આ જોતાં રાજ્યમાં ચૂંટણી વહેલી યોજાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. બીજી તરફ રાજ્ય સરકારે […]

Continue Reading

ગાંધીનગર જિલ્લામાં ધોરણ – 8ના 4993માંથી 4753 વિદ્યાર્થીએ MMSની પરીક્ષા આપી.

જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના ધોરણ-8માં અભ્યાસ કરતા 4993માંથી 4753 વિદ્યાર્થીએ એમએમએસની પરીક્ષા આપી છે. જ્યારે પરીક્ષામાં જિલ્લાના 240 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. નિયત મેરીટ સાથે પાસ વિદ્યાર્થીઓને ધોરણ-9થી 12 સુધી અભ્યાસ માટે વાર્ષિક રૂપિયા 12000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ પણ શિક્ષણથી વંચિત રહે નહી તે માટે […]

Continue Reading

ગોહિલવાડમાં આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 46%નો વધારો.

આ વર્ષે ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. ગત એપ્રિલ માસની મધ્યે ગોહિલવાડ પંથકમાં કુલ ઉનાળુ વાવેતર 47,700 હેકટર થયું હતુ તે આ વર્ષે હવે એપ્રિલનો મધ્ય આવ્યો છે ત્યારે 69,600 હેકટર થઇ ગયું છે. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં 45.91 ટકા એટલે કે 46 ટકાનો વધારો થયો […]

Continue Reading

સર્વ મિત્ર દ્વારા 26 શાળાઓમાં 7000 પરબડીનું વિતરણ કરાયું.

સર્વ મિત્ર (કે.આર.દોશી.ટ્રસ્ટ) ભાવનગરમાં આરોગ્ય, જીવદયા અને પર્યાવરણને લગતી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. તે અંતર્ગત પ્રતિવર્ષ પંખીઓ માટે 3000 જેટલી પરબડી અને માળાનું એક દિવસીય નિશુલ્ક વિતરણ ઉનાળામાં કરવામાં આવે છે. આ વર્ષે પ્રમુખ અમર આચાર્ય અને કેતન પંડયાના સૂચન કે “બાળકોમાં બીજ વાવશો તો ભવિષ્યમાં તમારે આ વિતરણ નહિ કરવા પડે સ્વયમ્ જાગૃતિથી […]

Continue Reading

રાજકોટમાં લગ્નમાં વરવધૂને લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટ કર્યો, કારણ આપ્યું કે ‘આ સૌથી મોંઘી ભેટ’.

હાલ લીંબુ, તેલ અને પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું બન્યું છે. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ વિખેરાયા છે. ત્યારે રાજકોટમાં આયોજિત એક લગ્નપ્રસંગમાં વરવધૂને તેના મિત્રોએ લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો હતો. અને જણાવ્યું હતું કે આ સૌથી મોંઘી ગિફ્ટ છે. આ અંગે વધુ માહિતી આપતા રાકેશભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે, તેના મિત્ર જિતેન […]

Continue Reading

વડોદરા શહેરના પ્રતાપ નગર રેલવે મ્યુઝિયમમાં નિ:શુલ્ક પ્રવેશ મળશે.

વેસ્ટર્ન રેલવેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતા વડોદરા શહેરના પ્રતાપનગરની રેલવે કોલોની ખાતે આવેલ હેરિટેજ રેલવે મ્યુઝિયમ 18 એપ્રિલે સોમવારના રોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. નાગરિકોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. વડોદરાના ડીઆરએમ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રતાપ નગર ખાતે આવેલ હેરિટેજ મ્યુઝિયમમાં ભૂતકાળના […]

Continue Reading

ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવાશે,વિદ્યાર્થીઓએ કહ્યું,બોર્ડ કરતાં આ પરીક્ષા માટે વધુ મહેનત કરી.

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે.ધોરણ 12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજશે. અલગ અલગ તબક્કામાં આજે 3 વિષયની પરીક્ષા યોજાશે. જેમાં 10 થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા, 1 વાગ્યાથી 2 […]

Continue Reading

કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદના મેસવાણ ખાતે પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં યોજાયેલા જન સંવાદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જન મેદની ઉમટી. કેશોદ કોંગ્રેસ મહામંત્રી ચંદુભાઈ ધોડાસરા તેમજ અન્ય ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પ્રવીણભાઈ રામના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ […]

Continue Reading

કેશોદ તાલુકાના આઠ ગામના સરપંચો સહીતના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદના કોયલાણા ગામે ત્રણ દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા આઠ ગામોના સરપંચો સહીત અનેક લોકો કાળી પટ્ટી ધારણ કરી કાળા વાવટા સાથે અર્ધ નગ્ન હાલતમાં રોડ ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું. સરકાર વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર માંગણી નહી સંતોષાય તો રોડ ચકકાજામ અને આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી. કેશોદના કોયલાણા […]

Continue Reading