કેશોદ તાલુકાના આઠ ગામના સરપંચો સહીતના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ.

Junagadh Latest

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ

કેશોદના કોયલાણા ગામે ત્રણ દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા આઠ ગામોના સરપંચો સહીત અનેક લોકો કાળી પટ્ટી ધારણ કરી કાળા વાવટા સાથે અર્ધ નગ્ન હાલતમાં રોડ ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું. સરકાર વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર માંગણી નહી સંતોષાય તો રોડ ચકકાજામ અને આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી. કેશોદના કોયલાણા ગામેથી પસાર થતો જેતપુર સોમનાથ નેશનલ હાઈવેનું નિર્માત્ર અંદાજે વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવેલ છે જયારે આ નેશનલ હાઈવેનુ કામ શરૂ હતુ ત્યારે આ વિસ્તારના તમામ સરપંચશ્રીઓ ગ્રામ્ય આગેવાનો વાહન ચાલકો અને જાહેર જનતા ધ્વારા સર્વિસ રોડ ડીવાઈડર કે ઓવરબ્રીજ આપવા લેખીત મૌખિક રજુઆતો કરેલ હતી. તેમ છતા કોઈ જાતનું નીરાકરણ કરેલ નથી. જેથી છેલ્લાં સાતેક વર્ષમાં પંદરથી વીસ લોકોના અકસ્માતમાં મૃત્યું પામ્યાં છે અને વીસથી પચ્ચીસ લોકો અકસ્માતથી કાયમી અંપગતતાનો ભોગ બન્યા છે. આ બાબતે આ વિસ્તારના પ્રતિનીધીઓને પણ અવાર નવાર લેખીત અને મૌખીક રજુઆતો કરી પ્રતિનિધિ ઓને સ્થળની રૂબરૂ મુલાકાત કરાવી વાસ્તવિક પરિસ્થિતીઓથી વાકેફ કરેલ છે. વારંવારની રજુઆતનું માત્રને માત્ર આશ્વાસન મળેલ છે. પરંતુ જીવલેણ પ્રાણ પ્રશ્નનો કોઈ નક્કર ઉકેલ કે નિર્ણય થયેલ નથી. જેવી રજુઆત સાથે ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રતીક ઉપવાસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે અનુસંધાને આઠ ગામના સરપંચો સહીત અનેક લોકોએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. જેના ત્રણ દિવસ થયા હોવા છતા તંત્ર દ્વારા નોંધ ન લેવામાં આવતા આઠ ગામના સરપંચો સહીતના લોકો કાળી પટ્ટી ધારણ કરી કાળા વાવટા સાથે અર્ધ નગ્ન હાલતમાં રોડ ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શન સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આગામી દિવસોમાં માંગણી નહી સંતોષાય તો રસ્તા રોકો આંદોલન અને આત્મ વિલોપનની પણ ચિમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *