ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે ચરોતરના પ્રવાસીઓને લાભ મળશે.

ઉનાળા વેકેશનનને લઈ મુસાફરોનો ધસારો વધુ રહેતો હોઈ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોના વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. ચરોતર પંથકમાંથી વિવિધ સ્થળોએ પ્રવાસ કરતા મુસાફરોને વધારાના કોચ જોડાતા તેનો લાભ પ્રાપ્ત થશે. અમદાવાદ ડિવિઝન પરથી ઉપડતી પાંચ જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ જોડવામાં આવશે. જે મુજબ અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં […]

Continue Reading

આણંદ નગરપાલિકા કચેરીમાં વીજળીનો વેડફાટ અને ખેડૂતોને ફાંફા.

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આણંદ નગરપાલિકાના સત્તાધીશો પૈકી કેટલાક હાલ પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવી એ.સી. ઓફિસોમાં એ.સી., લાઈટ ચાલુ મુકી આમતેમ લટાર મારવા નીકળી પડતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભારે ગરમીના કારણે નગરપાલિકાના કામકાજ અર્થે આવતા અરજદારો ત્રસ્ત હોય છે ત્યારે કેટલાક સત્તાધીશો આ પ્રકારે પ્રજાના નાણાનો દુર્વ્યય કરતા હોવાની ચર્ચાઓ જાગી  છે. વધુમાં […]

Continue Reading

સેંગપુર ગ્રૂપ પ્રાથમિક શાળામાં ‘ઉજાસ ભણી’ કાર્યક્રમ હેઠળ છાત્રાઓને તાલીમ અપાઇ.

સેંગપુર ગ્રૂપ પ્રાથમિક શાળામાં ગર્લ્સ એજ્યુકેશન શાખા દ્વારા ઉજાસ ભણી કાર્યક્રમ અંતર્ગત 6થી 8ની તમામ વિદ્યાર્થિનીઓને તાલીમ આપવામાં આવી હતી.એડોલેસેન્ટ એજ્યુકેશન અને પોક્સો એક્ટ-2012 આરોગ્ય અને પોષણ વિષય પર વધુ સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ વિશે સમજ અપાઇ હતી. તેમજ શારીરિક પરિવર્તન વિશે સમજ આપવામાં આવી હતી. સાથે સાથ કન્યાઓ માટે […]

Continue Reading

પાવાગઢમાં એકસાથે 2000 લોકો દર્શન કરી શકશે, ST વિભાગ દ્વારા ચોવીસ કલાક માટે 50 બસો મૂકાઈ.

પાવાગઢમાં 2 એપ્રિલથી સરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમિયાન આવતા યાત્રાળુઓની સુરક્ષા સલામતી માટે પોલીસ દ્વારા 900 પોલીસ ખડે પગે ફરજ બજાવશે. નવરાત્રીની આગલી સાંજે પાવાગઢ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન જુદા જુદા પોઈન્ટ પર સ્થાનિક સહિત જિલ્લા બહારથી આવેલ પોલીસ કર્મચારીઓને ફરજ બજાવવા સમજ આપી હતી. નવરાત્રી દરમિયાન પહેલા દિવસે શનિવાર […]

Continue Reading

કોરોનાના બે વર્ષ બાદ ગોધરા-દાહોદમાં ચેટીચંદ ઉજવાશે.

ગોધરામાં વસતા સિંધી સમાજ દ્વારા ઉત્સાહભેર ઇષ્ટદેવ ઝુલેલાલની જન્મ જયંતીને ચેટીચંદ તથા નુતનવર્ષ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે પ્રતિબંધ હોવાથી છેલ્લા બે વર્ષથી સાદગીપૂર્ણ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં ચીઠીયાવાડ, ગીદવાણી રોડ, પાવર હાઉસ, ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ, કલાલ દરવાજા, અંકલેશ્વર મહાદેવ રોડ, બહારપુરા તેમજ બામરોલી રોડ સહિતના ઝુલેલાલ મંદિરોમાં […]

Continue Reading

જિલ્લાના 64 હજાર ઉદ્યોગોમાં દર મંગળવારે વીજ પ્રવાહ બંધ રહેશે.

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિ.ના 76460 ખેતી વીજ કનેકશનને 6 કલાક વીજળી અપાય છે.ઓક્સિજન, ચિલિંગ, કેમિકલ પ્લાન્ટ સહિતના ઉદ્યોગોને નિયમ લાગુ પડશે નહિ. પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં હાલ ઉનાળા પાકની વાવણી ચાલી રહી છે. ઉનાળા પાકના પિયત માટે પાકને વીજળીની જરૂર પડતી હોય છે. ખેતી માટે સિંચાઇની સગવડ ન હોય તેવા ખેડૂતોએ કુવા કે […]

Continue Reading

કવાંટ તાલુકા ના સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર ની નવી પેન્શન યોજના ના વિરોધ માં અને જુની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી કાળો દિવસ મનાવ્યો .

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ તાલુકા પંચાયત માં ફરજ બજાવતા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ભારત સરકાર દ્વારા 1/4/2005 થી અમલ કરવામાં આવેલી. નવી પેન્શન યોજના ના વિરોધ માં આજરોજ સમગ્ર ગુજરાત રાજ્ય ના વિવિધ ક્ષેત્ર ના સરકારી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ને પહેલી એપ્રિલ ના રોજ વિરોધ પ્રદર્શન કર્યું […]

Continue Reading

ચૈત્રી નવરાત્રીમાં હાલોલ પાવાગઢ સહિત અનેક ગામોમાં પદયાત્રીઓ માટે વિસામા તૈયાર કરાયા.

યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીની ચૈત્રી નવરાત્રી દરમ્યાન પૂજા અર્ચના કરી આરાધના કરવાનો અનોખો મહિમા અને શ્રદ્ધા સાથેની પરંપરા છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં માઇભકતો માતાજીના દર્શનાર્થે પાવાગઢ ખાતે પધારી માતાજીની પૂજા-અર્ચના સાથે આરાધના કરી ધન્યતા અનુભવે છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજીના રથ સાથેના સંઘ તેમજ પગપાળા સંઘ સાથે કેટલાક કિલોમીટરના […]

Continue Reading

હાઇવે પરની મુસાફરી થશે મોંઘી, ભથવાડા અને લીમડી ટોલ પર 1 તારીખથી 10 ટકાનો વધારો; 10થી માંડીને 145 રૂપિયાનો વધારાનો બોજ પડશે.

દાહોદ જિલ્લામાં ગોધરા અને ઝાલોદના હાઇવે ઉપર મુસાફરીકરવાનું વાહન ચાલકો માટે મોંઘુ બનશે. કારણ કે 1 એપ્રિલથી આ બંને ટોલ ઉપર ટોલટેક્સમાં 10 ટકાનો વધારો કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાઇવે નંબર 47 ઉપર આવેલા ભથવાડા ટોલનાકાથી દરરોજ 10 હજારથી વધુ વાહનોની અવર-જવર છે. ત્યારે અહીં વિવિધ […]

Continue Reading

કાલોલ NMG હોસ્પિટલમાં ઓર્થોપેડિકનો નિશુલ્ક કેમ્પ.

વડોદરાની સુપ્રસિદ્ધ વાયરોક સુપર સ્પેશ્યાલિટી ઓથોપેડીક હોસ્પિટલ દ્વારા આયોજિત નિ:શુલ્ક ઓથોપેટીક ચેક અપ અને હાડકાની ઘનતા ચકાસવાનો ફ્રી કેમ્પ કાલોલની સુપ્રસિદ્ધ અને સતત છેલ્લા 60 વર્ષથી સેવા કરનાર એન એમ જી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મંગળવારે સવારે 10 થી 2 દરમિયાન યોજાઈ ગયો. જેમાં 121 થી વધારે જરૂરિયાત મંદ દર્દીઓ ને ચેક કરીને તપાસવામાં આવ્યા હતા. […]

Continue Reading