નર્મદા જિલ્લામાં નવા ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૨૩ દર્દી સાજા થતા રજા અપાઈ.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારેઆજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૮ દર્દી રાજપીપળા તેમજ ૨ દર્દી તિલકવાળા ૧ પાંચ પીપળી ૧ ઉમરાણ સહિત કુલ ૧૨ દર્દી પોઝિટિવ નોંધાયા છે રાજપીપળા કોવિલ હોસ્પિટલમાં હાલ ૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૩૫ દર્દી દાખલ છે આજે ૨૩ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૧૭૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નોકુલ આંકડો ૨૯૩ એ પોહોચ્યો છે.આજે વધુ ૭૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *