નર્મદા: કોરોનાને ચાર મહિના થયા બાદ પણ રાજપીપળા ખાતે સસ્પેકટેડના મોત બાબતે તંત્ર દ્વારા કોઈ જ જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી..!

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

આશાપુરી માતા ના મંદિર પાસે કોરોના સસ્પેકટેડ માં મૃત્યુ પામેલા દર્દીને મોકલવા કોરોના વાયરસ ના ચાર મહિના બાદ પણ વાહન કે સ્ટાફ ની કોઇ જ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આશાપુરી ના મૃતક માટે નગરપાલિકા માં સબવાહીની માંગતા ઘણા ગલ્લા તલ્લા બાદ ઉપર લેવલે દબાણ આપ્યા બાદ પાલીકા એ ફક્ત સબવાહીની જ આપી ડ્રાઈવર સિવિલ માંથી લેવો પડ્યો એમાં ચાર કલાક નો સમય બગડ્યો તેમ જાણવા મળ્યું. એપ્રિલ થી જુલાઈ મહિના સુધીમાં અંદાજે ૩૦ જેવા શ્વાસ ની તકલીફ વાળા દર્દીઓ ના રાજપીપળા સિવિલ માં મોત થયા હોય કોઈના કોરોના ટેસ્ટ કેમ કરાયા નથી.? શુ આ કોરોના સસ્પેકટેડ હતા..?

રાજપીપળા સિવિલ માં કોરોના સસ્પેકટેડ જણાતા દર્દીઓ ને કોવિડ માં દાખલ કરવાના બદલે વડોદરા મોકલવાની સલાહ આપતા ડોક્ટર કોણ…?

નર્મદા જિલ્લામાં માં હાલમાં કોરોના ના કેસ વધુ માત્રા માં વધ્યા હોવા છતાં ઉપર થી સૂચના બાદ આંકડા અપાશે નો રાગ આલાપતા અધિકારીઓની કોરોના બાબતે ની બેદરકારી વધી રહી હોવાની બુમો સંભળાઈ રહી હોય અત્યાર સુધી ના ચાર મહિના બાદ પણ કોરોના સસ્પેકટેડ દર્દીઓના મોત કે સારવાર બાબતે ની યોગ્ય જવાબદારી અધિકારીઓ દ્વારા ઉઠાવવામાં આવતી નથી તેવી બુમ સંભળાઈ રહી છે સાથે સાથે કોરોના જેવા લક્ષણો બાદ પણ રાજપીપળા સિવિલ માંથી કોવિડ માં દર્દી ને મોકલવા ના બદલે સીધા વડોદરા મોકલવા ની સલાહ આપતા ડોક્ટર કોણ છે..? કેમ સ્થાનિક સસ્પેકટેડ દર્દીઓને બરોડા મોકલવા મનમાની કરવામાં આવે છે..? જેવી અનેક બેદરકારી હાલ ચર્ચા માં છે.

આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ છેલ્લા ચાર મહિના થી ભારત માં કોરોના એ માથું ઊંચક્યું છે જેમાં દરેક જિલ્લાઓ માં કોરોના ના પોઝીટીવ કે સસ્પેકટેડ દર્દીઓ માટે ગાઈડલાઈન મુજબ લોકલ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે પરંતુ આજે સવારે જ રાજપીપળા ના આશાપુરી વિસ્તાર ના એક પુરુષ દર્દી નું મોત થયા બાદ એ કોરોના સસ્પેકટેડ હોવાનું જણાયું ત્યારે એના મૃતદેહ માટે જરૂરી વાહન કે કીટ સાથે સજ્જ સ્ટાફ ની પણ તંત્ર દ્વારા કોઈજ આગવી વ્યવસ્થા ઉભી ન કરાઇ હોય આખરે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવા ઘાટે આ મૃતક દર્દી ને જથર વથર ચાદર માં લપેટીને મોકલવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સૂત્રો દ્વારા વધુ માં એમ પણ જાણવા મળ્યું કે એપ્રિલ- ૨૦૨૦ થી જુલાઈ-૨૦૨૦ દરમિયાન રાજપીપળા સિવિલ માં 30 થી વધુ શ્વાસ ની તકલીફ વાળા દર્દીઓ ના મોત થયા હોવાની સરકારી ચોપડે નોંધ છે. પરંતુ આ દર્દીઓ ના કોરોના ટેસ્ટ નથી થયા..? ગાઈડલાઈન મુજબ કોરોના માં મામુલી ચિહ્નો જણાય તો પણ ટેસ્ટ કરી દર્દીને અન્ય દર્દીઓ સાથે ન રાખી કોવિડ માં દાખલ કરવાના હોય છે છતાં આવા દર્દીઓ બાબતે કોણે લાપરવાહી દેખાડી..? સાથે સાથે રેપીડ ટેસ્ટ માં પ્રથમ દિવસે જ ઘણા દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર આંકડા ન આપી જવાબદાર અધિકારી એવા સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા એ એમ જણાવ્યું કે અમારા થી આંકડા ન અપાય ગાંધીનગર થી મંજૂરી મળ્યા બાદ અમે આંકડા જાહેર કરીશુ.તો શું સ્ટેટ લેવલ થી યોગ્ય આંકડા નહી આપવાની સૂચના અપાઈ છે કે સ્થાનિક તંત્ર બહાના બતાવે છે..? જેવી અનેક ગંભીર લાલીયાવાડી હાલ નર્મદા જિલ્લામાં કોરોના બાબતે ચાલી રહી હોય જો આ તમામ બાબત સત્ય હોય તો તેની ઊંડાણ પૂર્વક તપાસ કરી તંત્ર ના જવાબદારો સામે કડક પગલાં લેવાઇ તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *