ગીર સોમનાથ: તુલસીશ્યામ તીર્થધામમાં વધુ એક માસ માટે દર્શન સહિતના વિભાગો બંધ રહેશે.

Gir - Somnath
રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના

ગીરના જંગલ મધ્યે આવેલ પ્રસિદ્ધ અને ઐતિહાસિક તિર્થધામ તુલસીશ્યામના દ્વાર કોરોનાની સ્થિતિમાં વધુ એક માસ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે . આ ઉપરાંત આવતા મહિને આવતો ગુરુપૂર્ણિમા ઉત્સવ પણ રદ્દ કરવામાં આવ્યો છે.

આ વિશ્વવ્યાપી કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારના આદેશ અનુસાર ગાઈડલાઈન મુજબ તા. ૮ જૂનને સોમવારથી ધાર્મિક સ્થળો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. આ અનુસંધાને ૫ જૂન- શુક્રવારે રોજ ટ્રસ્ટીઓની મીટીંગ મળેલ જેમાં વધુ એક માસ સુધી દર્શન સહિતના વિભાગો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરોના વાઇરસની મહામારીને ધ્યાને લઇ સંક્રમણ ફેલાવાની ભીતિ હોવાથી તુલસીશ્યામ તીર્થધામ ખાતે દર્શનાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે તેમજ કોરોના મહામારીને લઈને પૂરતી તકેદારી રાખવાની હોય અને અવ્યવસ્થા ઊભી ન થાય તે હેતુથી હાલ એક માસ માટે દર્શન વિભાગ, ભોજન, શાળા ધર્મશાળા વિભાગ, ચા વિભાગ બંધ રાખેલ છે.

તેમજ તા. ૫ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાનો મહાઉત્સવ પણ કોરોના મહામારીને ધ્યાને લઈ બંધ રાખેલ છે, આગળના સમયમાં ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરી તુલસીશ્યામ તીર્થધામ મંદિર ખોલવા અંગે નિર્ણય કરવામાં આવશે જેની દરેક દર્શનાર્થીઓએ ખાસ નોંધ લેવા ટ્રસ્ટ્રીઓ પ્રતાપભાઈ એસ વરુ અને ડો. બી. બી. વરુ દ્વારા જણાવાયું છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *