રાજપીપળા ખાતે રહેતા 18 વર્ષીય યુવાન ભાર્ગવભાઈએ તાત્કાલિક રક્તદાન કરી બીમાર મહિલાને જીવનદાન આપ્યું.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના બીમાર વાસંતાબેન વસાવા ને B નેગેટીવ ગ્રુપ લોહી ની તાત્કાલિક જરૂર હોવાની જાણ સરપંચ પરિષદ-ગુજરાત,નર્મદા ઝોન ના પ્રમુખ નિરંજન ભાઈ વસાવા અને બજરંગ દળ ના કાર્યકર્તા પ્રેમસિંગભાઈ વસાવા ને થતા તેમણે તાત્કાલીક રાજપીપળા ખાતે રહેતા 18 વર્ષીય યુવાન ભાર્ગવભાઈ નો સંપર્ક કર્યો તેથી ભાર્ગવ ભાઈ એ વિના સંકોચે મહિલા ના જીવન માટે તત્કાલ રકતદાન કરી લોહી આપતા આદિવાસી બીમાર મહિલાને જીવતદાન મળ્યું હતું. ભાર્ગવભાઈ એ 18 વર્ષ ની ઉંમર મા આ બીજી વખત જરૂરીયાત મંદને રક્તદાન કરી સમાજ ને રક્તદાન પ્રત્યે જાગૃત કરવાનુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

ઉલ્લેખનીય છે કે ભાર્ગવભાઈ ના પિતા એ પણ અત્યાર સુધી 22 વખત રક્તદાન કર્યું છે જેથી તેએમના પુત્ર પણ એમની રાહ પર ચાલીને જરૂરિયાત મંદ લોકોને રક્તદાન કરી જીવનદાન આપે છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *