નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: કુલ અંક ૮૭૨ એ પોહોચ્યો.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં સોમવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં હાઉસિંગ બોર્ડ ૦૧ સ્ટેશન રોડ ૦૧ નાંદોદ ના સિસોદ્રા ૦૧ વડિયા ૦૧ રોહિતવાસ માંગરોળ ૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૦૩ નાના પીપરિયા ૦૧ અને તિલકવાળા ૦૨ બુજેઠા ૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૨ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૬ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૫ દર્દી દાખલ છે આજે ૧૩ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૮૧૨ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૭૨ પર પહોચ્યો છે.આજે વધુ ૪૮૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *