નર્મદા: નાંદોદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દી માંથી ૧૧ નાંદોદ તાલુકાના નોંધાયા.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શનિવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં રાજપૂત ફળિયું ૦૩ મોટા માછીવાડ ૦૧ વડિયા પેલેસ ૦૧ આદિત્ય ૦૧ રાજેન્દ્રનગર સોસા. ૦૧ નાંદોદના ગોપાલપરા ૦૧ પ્રતાપનગર ૦૨ વડિયા ૦૧ ગરુડેશ્વર ના સંજરોલી માં ૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૨ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૭ દર્દી દાખલ છે આજે ૦૬ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૯૪ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૮૫૫ પર પહોચ્યો છે.આજે વધુ ૪૮૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *