નર્મદા જિલ્લામાં આજે ૦૩ કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક ૬૫૮ થયો.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લાના લોકો માટે સારા સમાચાર, નર્મદામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું,આજે જિલ્લામાં કોરોનાના માત્ર ૩ કેસ પોઝિટિવ નોંધાયા.

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી જિલ્લામાં આજે બીજા નવા ૦૩ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ૦૩ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા ની જલારામ નગર સોસા-૦૧,શક્તિવિજય સોસા-૦૧ અને નાંદોદ તાલુકાના વડીયામાં-૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ-૦૩ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૨ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૬ દર્દીઓ દાખલ છે. આજે ૦૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૫૭૧ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી આજે વધુ ૩૧૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *