નર્મદા જિલ્લામાં નવા ૦૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંક ૫૮૪ પર પહોંચ્યો.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લા બીજા નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના રાજેન્દ્રનગર સોસા-૦૧ ખાટકી વાડ પાસે ૦૧ અને પાઠક ખડકી-૦૧ તેમજ નાંદોદ તાલુકાના નિકોલી ૦૧ જીઓરપાટી ૦૧ કાંદરોજ ૦૧ જ્યારે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની-૦૧ અને સાગબારા ૦૧ કેસ સાથે નર્મદા જિલ્લા માં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૦૯ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૭ દર્દીઓ દાખલ છે આજે ૦૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૫૨૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૮૪ પર પોહોચ્યો છે, આજે વધુ ૩૫૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *