અમદાવાદમાં પેટ્રોલ મંગળવારથી પેટ્રોલ રૂ 100ની નજીક, ભાવ 79 પૈસા વધ્યા.

પેટ્રોલ અને ડીઝલમાં હળવા વધારાના ડોઝ સતત ચાલી રહ્યો છે. મંગળવાર સવારથી અમલમાં આવે એ રીતે પેટ્રોલના ભાવમાં ૭૯ પૈસા અને ડીઝલમાં ૭૨ પૈસાના વધારાની જાહેરાત કંપનીઓએ આજે કરી હતી. મંગળવાર સવારે હવે સાદું પેટ્રોલ રૂ ૯૯.૯૦ અને પ્રીમિયમ પેટ્રોલ રૂ.૧૦૩.૨૪ પ્રતિ લીટર અમદાવાદમાં મળશે. આવી જ રીતે ડીઝલના સાદું રૂ.૯૪.૦૭ અને ડીઝલ પ્રીમિયમ રૂ […]

Continue Reading

વડોદરામાં કોર્પોરેશન દ્વારા સયાજીપુરા રાત્રી બજારની 35 દુકાનની ફરી હરાજી કરવાનો પ્રયાસ.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં કારેલીબાગ રાત્રી બજારની આઠ દુકાનની હરાજી કર્યા બાદ વધુ નવ દુકાનની હરાજી કરવાનુ નક્કી કર્યા પછી હવે સયાજીપુરા આજવા રોડ પર આવેલા રાત્રી બજારની 35 દુકાનોની હરાજી કરવાનું નક્કી કર્યું છે. સયાજીપુરા રાત્રી બજારની દુકાનો માટે અગાઉ અનેક પ્રયાસો થયા છે, છતાં દુકાનોની હરાજીમાં સફળતા નથી મળી. દુકાનો ઉપયોગ વિના પડી […]

Continue Reading

સંખેડા તાલુકાની રેફરલ હોસ્પિટલ માત્ર એક જ ડોક્ટરથી ચાલે છે.

સંખેડા તાલુકા મથકે આવેલી રેરફલ હોસ્પિટલમાં 3 ડોકટરની જગ્યા છે.પણ છેલ્લા 15 દિવસથી માત્ર એક જ ડોકટર છે. તાલુકા મથકની આ હોસ્પિટલના એક ડોકટર લાંબા સમયથી ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર છે. જ્યારે બીજા એક ડોકટર સામાજિક કારણોસર રજા ઉપર છે. અહીંયા રોજની ઓપીડી અને ઇન્ડૉર પેશન્ટ પણ વધારે રહે છે. છતાં વધારાનો એકેય ડોકટર મુકાતો નથી. […]

Continue Reading

પ્રથમ દિવસે બોર્ડના 12934 વિદ્યાર્થીએ પરીક્ષા આપી, ધો.10નું પ્રથમ પેપર સરળ રહેતાં રાહત.

છોટાઉદેપુર જિલ્લામાં તા. 28 માર્ચથી ધો 10 અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો આરંભ શાંતિપૂર્ણ માહોલમાં થઇ ગયો છે. સોમવારે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી એસ એફ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્નાબેન પાચાણીએ વિદ્યાર્થીઓને તિલક કરી ગોળ ધાણા ખવડાવી સ્વાગત કર્યું હતું. અને પરીક્ષા અંગે શુભકામનાઓ આપી હતી. જે પ્રસંગે એસ એફ હાઈસ્કૂલના […]

Continue Reading

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સાતેક કિમીના ત્રણ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયુ.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા ધ્રાબાવડ- ચિત્રી- સાંગરસોલા રોડ, ખીરસરા-સુત્રેજ રોડ અને સેંદરડાના જૂદા જૂદા એપ્રોચ રસ્તાના કામોનો રાજ્યમંત્રી દેવાભાઇ માલમના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ત્રણેય રસ્તા રૂ.1.39 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની લાગણી અને જરૂરીયાતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા પંથકના ચિત્રી, સુત્રેજ અને સેંદરડા ગામ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ૧૨ (HSC) ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાદપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ.

રિપોર્ટર – અંકુર ઋષી ,રાજપીપળા આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં શરૂ થયેલી બોર્ડની આ જાહેર પરીક્ષા માટે ધોરણ- ૧૦ ની પરીક્ષામાં ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૩૨ પરીક્ષા બિલ્ડીંગોમાં ૯,૬૯૧ જેટલા વિધાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં […]

Continue Reading

ઉનાળાના પ્રારંભે જ શિયાળબેટ-મોરંગીમાં પાણીની તંગી, ટાપુ પર લોકો ડહોળું પાણી પીવા મજબુર.

જાફરાબાદના શિયાળબેટ ટાપુ પર આઝાદીના દાયકાઓ બાદ પીવાના પાણી માટે પાઇપ લાઇન નાખવામા આવી હતી. જો કે વાવાઝોડા બાદ પાઇપ લાઇનનુ ધોવાણ થઇ જતા હાલ ટાપુ પરના લોકો પીવાનુ પાણી મેળવવા વલખા મારી રહ્યાં છે. લોકોને ડંકી અને કુવામાથી પીવાલાયક પાણી ન હોવા છતા ડહોળુ પાણી પીવાની ફરજ પડી રહી છે. તો અહીના મોરંગીમા પણ […]

Continue Reading

આંગણવાડી બહેનોએ ધરણાં કાર્યક્રમ યોજીને વિરોધ નોંધાવ્યો.

આણંદ જિલ્લામાં આંગણવાડી ફરજ બજાવતી બહેનોએ પડતર પ્રશ્ન બે દિવસથી હળતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે વહીવટીતંત્રએ મંજૂરી નહીં આપતાં આખરે આંગણવાડી બહેનોએ અમૂલ ડેરી રોડ ગરમીનો પ્રકોપ છતાં સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આણંદજિલ્લા આંગણવાડી ના મહામંત્રી કૈલાસબેને જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં જુદી જુદી આંગણવાડીઓમાં 1500 જેટલી બહેનો ફરજ બજાવે છે. ત્યારે […]

Continue Reading

જિલ્લાના ધોરણ-10 અને 12ના 33061 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.

શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લાના કુલ-33689માંથી 33061 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે 628 વિદ્યાર્થીઓ પ્રથમ પેપરની પરીક્ષા આપવાથી અળગા રહ્યા હતા. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ અને ગેરરીતિનો એકપણ કેસ નહી નોંધતા થતાં શિક્ષણતંત્રએ હાશકારો અનુભવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક વર્ષ પછી ધોરણ-10 અને 12ની પરીક્ષાનો […]

Continue Reading

સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત વધુ સહેલું હોવાથી બોર્ડની પરીક્ષાનાં 5 દિવસ પહેલાં જ રાજકોટમાં ધોરણ 10ના 400 વિદ્યાર્થીએ વિષય બદલ્યો.

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે બોર્ડની પરીક્ષાના 5 દિવસ પહેલા જ રાજકોટના 92 સહિત રાજ્યના 400 જેટલા વિદ્યાર્થી એવા છે જેમણે છેલ્લી ઘડીએ વિષય બદલ્યો છે. પરીક્ષાના એક સપ્તાહ પહેલા જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં હોલ ટિકિટ આવી ત્યારે તેમને જાણ થઇ કે પોતાને બેઝિક ગણિત રાખવું હતું પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવામાં […]

Continue Reading