કોરોના અપડેટ ભાવનગર: ગતરોજ જિલ્લામાં ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૪૨ દર્દી થયા કોરોનામુક્ત થતા રજા અપાઈ.

Bhavnagar Corona Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૭૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેલાઈ ગામ ખાતે ૧, મહુવાના બેલમપર ગામ ખાતે ૨, મહુવાના કંટાસર ગામ ખાતે ૧, મહુવાના બોડા ગામ ખાતે ૨, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૪, તળાજાના સથરા ગામ ખાતે ૩, તળાજાના મણાર ગામ ખાતે ૧, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧, વલ્લભીપુરના નવાગામ ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૦ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૧ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૪૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૧,૨૭૫ કેસ પૈકી હાલ ૪૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૮૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *