ગીર સોમનાથ: તાલાલા તાલુકા આહિર સમાજના મંત્રી ડી.એલ.સોંલંકીનો કાર્યકાળ પૂર્ણ થતા સન્માન સમારંભ યોજાયો.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

આજ રોજ તાલાલા તાલુકા આહિર સમાજના મંત્રી ડી.એલ.સોંલંકી સાહેબ નો કાર્યકાળ પૂર્ણ થતા સન્માન સમારંભ સમાજના પ્રમુખ ભીમસીભાઈ બામરોટીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો જેમાં આ તકે જશુભાઇ ધાનાભાઇ બારડ આહીર સમાજ તાલાલા ના નવા હોદ્દેદારોની સર્વાંનુમતે નિમણુંક કરવામાં આવી. જેમાં નરેન્દ્ર ભાઇ વાઢેર-(ઉપ પ્રમુખ-રસુલપરા) પરબતભાઇ ચાંડેરા-(ઉપ પ્રમુખ- પીપળવા) રાજેશભાઈ રામ-( સહમંત્રી-તાલાલા) જાદવભાઈ ચાંડેરા -(સહમંત્રી-ગુંદરણ) દેવશીભાઇ નાઘેરા (કાર્યકારી મંત્રી શ્રી-તાલાલા)
શ્રી રમેશભાઈ વરુ – (નેકસ્ટ મંત્રી -ઘુંસિયા) હાજર રહ્યા હતા અને આહીર સમાજના મંત્રી ડી.એલ.સોલંકી ને આવનારો સમય સુખમય રહે અને તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *