નર્મદા: રાજપીપળા પાલિકા દ્વારા લોકડાઉનમાં કર્મચારીઓને છુટા કરાતા રોષ.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા નગરપાલિકા માં કોની નોકરી રહેશે અને કોની છીનવાય તે નિર્ણય કર્તા એક માત્ર ચીફ ઓફિસર ની જોહુકમી.??

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની અપીલ “લોકડાઉન દરમિયાન કોઈ પણ કામદાર નો પગાર રોકવો નહીં કે નોકરી મા થી છુટા કરવા નહીં” તેવી અપીલ ને પણ ફગાવી દઈ રોજમદારો ને નોકરી મા થી કાઢી મુકનાર જયેશ પટેલ વડાપ્રધાન ના આદેશ ને પાલન કરતા હોય એમ લાગતું નથી !
રાજપીપળા નગર પાલિકા માં જાણે સરમુખત્યાર શાસન ચાલતું હોય એમ જણાઈ રહ્યું છે કેમકે મુખ્ય અધિકારી મનફાવે તેવા નિર્ણય લઈ ગમે ત્યારે ગમે તે કર્મચારી ને છૂટા કરી અમુક સ્ટાફ સાથે પણ બેફામ વાણી વિલાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

જોકે હકીકત માં અગાઉ આડેધડ રોજમદાર કર્મચારીઓ ફરજ પર મુકાયા હતા એ બાબત સાચી છે પરંતુ હાલ છુટા કરાયેલા અમુક કર્મચારીઓ પૈકી અમુક જરૂરી હોવા છતાં કોઈક કારણોસર મહેકમ નું કરણ ધરી છુટા કરાયા છે.જોકે હાલ જે કર્મચારીઓને છુટા કરાયા છે તેમને કોઈ નોટિસ કે જાણ કર્યા વિના જ અચાનક તગેડી મુક્યા છે તેમ જાણવા મળ્યું છે સાથે સાથે તેમની આગલો ત્રણ મહિનાનો પગાર કે જમા ઇપીએફ ના નાણા પણ આપ્યા વિના જ છુટા કરાતા હાલ લોકડાઉન ની સ્થિતિ એ તેમના પરિવારો ની હાલત કફોડી બની છે.ત્યારે આમ એક તરફી શાસન કરતા પાલીકા ના મુખ્ય અધિકારી છુટા કરાયેલા કર્મચારીઓ નો બાકી પગાર અને ઇપીએફ ના નાણાં ક્યારે આપશે એ જોવું રહ્યું.

તઘલખી શાશન નો ભોગ બનેલી રાજપીપળા ની પ્રજા પાલિકા સત્તાધીશો ના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર થી ત્રાહિમામ પોકારી ગઈ છે વારંવાર તોછડાઈ અને નિયમો નુ સરેઆમ ઉલ્લંઘન કરતા માસ્ક પહેર્યા વગર કેમેરા મા કેદ થયેલા ચીફ ઓફિસર જયેશ પટેલ ઉપર કોનો હાથ કે કોવીડ-19 ની ગાઇડલાઇન નો છડેચોક ભંગ ખુદ અધિકારી કરે અને કોઈ કંઈ ના બગાડી શકે ? છાપાઓ મા ફોટા શાથે છપાયેલા છતાં સામાન્ય નાગરિકો ને નિયમ ભંગ બદલ આકરો દંડ તો ચીફ ઓફિસર જયેશ પટેલ કોણ ? પ્રજા ના સેવક કે માલીક ?

નગરપાલિકા રાજપીપળા મા એકહથ્થુ વર્ચસ્વ ધરાવતાં ચીફ ઓફિસર જયેશ પટેલ આગળ સત્તા અને વિપક્ષ શિર્ષાશન ની મુદ્રા મા આવી ગઈ હોય તેમ રાજપીપળા ની પ્રજા મા ભારે ચર્ચા નુ કેન્દ્ર આગામી ચુંટણી મા ઘેરા પ્રત્યાઘાત પડે તેવી આશંકા.

આ બાબતે પાલીકા ના મુખ્ય અધિકારી જયેશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પગાર માટે પાલીકા પાસે પૈસા જ નથી તો ક્યાંથી પગાર થાય..જ્યારે રોજમદારો ને છુટા કરતા પહેલા કોઈ નોટીસ આપી હતી એમ પૂછતાં જયેશ પટેલે જણાવ્યું કે મારે આ બાબતે રેકર્ડ પર જોવું પડશે કે નોટિસ આપી કે નહીં.ત્યારબાદ લોકડાઉન માં મોદી સરકારે એવી જાહેરાત કરી હતી જે કોઈને નોકરી માંથી કાઢવા નહિ એ સવાલ કરતાજ જયેશ પટેલે ફોન કટ કરી માખ્યો હતો.આમ ગોળ ગોળ જવાબો આપતા જયેશ પટેલ હાલ પાલીકા વર્તુળ માં ચર્ચા માં રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *