અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની નદીમાં ઘોડા પુર આવતા વાહન ચાલકો અને ગામના ખેડૂતો હેરાન પરેશાન.

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

સોમનાથ ભાવનગર હાઈવે સતત બે વર્ષ થી વરસાદ આવે એટલે તરત જ હાઈવે બંધ કરી ને વાયા જાફરાબાદ થઇ અને વાહનો ચલાવવા માં આવે છે પણ નાગેશ્રી ગામ ની ૬૦% જમીન નદી ના સામા કાંઠે આવેલ હોવા થી ખેડુતો ને તેમજ માલ ઢોર ને ગામ આવવા માટે શું કરવા નુ તે પશ્રન ઉભો થયો છે તેમજ અનેક વાર રજૂઆત કરવા છતા પણ માટી નાખી ને દર વરસે કાસુ ડાયવર્ઝન કાઢવા થી આ પશ્રન ઉભો થાય છે જો ખરેખર આ ડાયવર્ઝન પાકુ બનાવવા મા આવે તો જ પશ્રન હલ થાસે. વાહનો તો ગમે ત્યાં થી નીકળી જાય પણ ખેડૂતો તેમજ સામા કાંઠે પાધર પરા વિસ્તાર માં રહેતા લોકોને શું કરવા નુ જયારે ડાયવર્ઝન ઉપર પાણી આવી જાય ત્યારે એક પણ અધિકારી જોવા પણ આવતા નથી તો શું ખરેખર આવતા અધિકારીઓને ખબર તો છે ને નાગેશ્રી નદીમા બે વર્ષ થી માટી નાંખીને ને કાસા પાળા ઉપર વાહનો સાલે છે તો પાકુ ડાયવર્ઝન કયા કારણોસર બનાવવા મા આવતુ નથી કેટલા ખેડુતો તેમજ પાધર પરા વિસ્તાર માં રહેતા લોકો ને કયા જાવુ ખરેખર નાગેશ્રી પોલીસ ને સૌ સૌ સલામ કે નદીમા પાણી આવે એટલે તરત પહોચી ગયા હોય નહીંતર તો કેટલાય માલઢોર તેમજ નિર્દોષનો આ ડાયવર્ઝન ના હિસાબે ભોગ લેવાય તેમ છે જો આ ડાયવર્ઝન ઉપર કોય અજાણી વ્યક્તિ પેસેન્જર વાહન સાથે ફસાય જાસે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *