છોટાઉદેપુર : જિલ્લાના સંખેડાની ભાગોળે રસ્તો ખોદી નાખતા વાહન ચાલકોમાં રોષ.

Chhota Udaipur
રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી

છોટાઉદેપુરના સંખેડાની ભાગોળે થી એમ.જી.વી.સી.એલ. સુધીનો રોડ તાજેતરમા બન્યો હતો. ત્યારે ગામની ભાગોળે ગઈ રાત્રી દરમ્યાન રોડ ખાતા દ્વારા અચાનક જ ખોદવામાં આવ્યો હતો. જાણ કર્યા વગર જ રસ્તો ખોદી નાખતા વાહનચાલકોને ખુબ જ પરેશાની ભોગવવી પડે છે. લોકોને પડનારી મુશ્કેલીને નજરઅંદાજ કરીને રોડ ખાતા દ્વારા કરાયેલી કામગીરીના કારણે અનેક વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો. અચાનક જ આ તાજેતરમાં બનાવેલા રોડ ખોદી નાખતા લોકોમાં ઘણી પરેશાની વ્યાપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *