જંબુસર ડેપોમાં બસો ચાલુ થતાં અમુક પેસેન્જર જોવા મળ્યા

bharuch
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની


કોરોના વાયરસની મહામારી ને લઇ લોકડાઉનમાં જંબુસર ડેપો નિર્જન ભાસતો હતો. અનલોક ૧ માં વધુ છૂટછાટો મળતાં રાજ્યમાં એસટી બસો શરૂ કરવાનો નિર્ણય લેવા લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને ભરૂચ વિભાગ જંબુસર ડેપો દ્વારા પણ અનલોક ૧ ના નીતિ નિયમો મુજબ જંબુસર ડેપોના ૫૫ શિડ્યુલના ૨૪૩૬૨ કિલોમીટર પૈકી આજથી ૧૭ શિડ્યુલના ૪૨૯૮ કિલોમીટરની બસો વડોદરા વાગરા ભરૂચ દેડીયાપાડા લુણાવાડા પાટવેલ રૂટ સવારથી શરૂ કરવામાં આવ્યા છે. બસો શરૂ થવાની હોય ધંધા રોજગાર નોકરિયાત વર્ગ જંબુસર ડેપો ખાતે જોવા મળતા હતા જંબુસર ડેપોમાંથી અલગ અલગ રૂટ પર જતી બસોમાં સત્તાધીશો દ્વારા સેનેટાઈઝર થર્મ સ્કેનિંગનો અભાવ જોવા મળતો હતો બસમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થતું જોવા મળતું હતું આ સહીત નવ નિર્મિત ડેપોમાં સ્ટાફ દ્વારા વાહન પાર્કિંગ કેશ વિભાગ તરફ જવાના માર્ગે સીડી પાસે કરવામાં આવતું હતું જો સ્ટાફ દ્વારા જ વાહન પાર્કિંગનું પાલન કરવામાં નહીં આવે તો મુસાફર જનતાને કઈ રીતે એસ.ટી સત્તાધીશો વાહન પાર્કિંગનું પાલન કરાવશે તે એક પ્રશ્ન છે હાલ અનલોક ૧ માં પણ લોકડાઉનની અસર હોય, પેસેન્જરોના અભાવને લીધે એસ.ટીની આવકમાં ઘટાડો થાય તો નવાઈ નહીં.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *