ગીર સોમનાથ: વેરાવળ માંથી ૭૪ પરપ્રાંતીય શ્રમિકો વેસ્ટ બંગાળ વતન જવા રવાના.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. વહીવટી તંત્ર દ્રારા ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા તાલુકા માંથી પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મેળવી વતન મોકલવામાં આવી રહ્યા છે. વેરાવળ માંથી ૭૪ પરપ્રાંતિયોને બે બસમાં ભાવનગર મોકલવામાં આવ્યા છે. જ્યાં તેઓ રેલ્વેમાં તેમના વતન વેસ્ટ બંગાળ જવા રવાના થશે. સામાજીક સંસ્થા દ્રારા તમામ પરપ્રાંતિયો માટે નાસ્તો અને ફુટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ મામલતદારશ્રી ચાંદેગરાની યાદીમાં જણાવાયું છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *