ગીર સોમનાથ જિલ્લા માંથી ૩૫૭ જેટલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન જવા રવાના

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

કોરોના વાયરસ એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ કોરોના વાયરસના સંક્રમણ ન ફેલાય તે માટે કામગીરીમાં હંમેશા સર્તક રહ્યા છે.
સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મળી ગયા બાદ ગીર સોમનાથ જિલ્લામા ફસાયેલા પરપ્રાંતિઓ અને શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલ ઉત્તરપ્રદેશના ૩૫૭ શ્રમિકોને બસ દ્રારા જૂનાગઢ રેલ્વે સ્ટેશન અને ત્યાં થી તેમને રેલ્વે દ્રારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. છત્તીસગઢના ૪૮ શ્રમિકો, રામેશ્ર્વર ૩૯, ઝારખંડ ૫૫, નેપાળ-૪૭ અને ઉના થી ઝારખંડના ૭૦ શ્રમિકોને સ્લીપીંગ બસો દ્રારા તેમના વતન રવાના કરાયા છે.
તમામ શ્રમિકોની આરોગ્ય શાખાની ટીમ દ્રારા આરોગ્યની ચકાસણી, સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તમામ શ્રમિકો માટે પીવાના પાણીની, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર શ્રી ચાંદેગરા અને એ.આર.ટી.ઓ કારેલીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *