ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૪ દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

Corona Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓ દિનપ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે થી આજે કોરોના વાયરસના વધુ ૪ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. કોડીનાર તાલુકાના ૧ અને ઉના તાલુકાના ૩ દર્દીઓને કોવીડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા છે. અગાઉ વેરાવળ માંથી કોરોના વાયરસના પ્રથમ વખત ૩ ત્યારબાદ બીજી વખત ૯ અને આજે સોમનાથ ખાતે થી ત્રીજી વખત વધુ ૪ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપતા જિલ્લા માંથી કુલ ૧૬ દર્દીઓને રજા આપવામાં આવી છે.
કોડીનાર તાલુકાના મોરવડ ગામના રહેવાસી શારદાબેન ગોરધનભાઈ સૌદાગર (ઉ.વ.૫૫), ઉના તાલુકાના સોનારી ગામના રહેવાસી મનીષાબેન મહેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧), વાવરડા ગામના રહેવાસી પ્રકાશભાઈ હમીર ગોરધન (ઉ.વ.૪૦) અને પ્રિયાબેન પ્રકાશભાઈ ગોરધન (ઉ.વ.૧૬)ને કોરોના વાયરસના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં કોરોના વાયરસ પોઝીટીવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને કોવીડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતે સારવાર હેઠળ હતા. તેઓ સ્વસ્થ થતા કોરોના વાયરસના કોઈપણ લક્ષણો ન જણાતા આજે આરોગ્ય કર્મચારીઓએ અભિનંદન પાઠવી રજા આપવામાં આવી હતી.
ડો.સીકોતરીયાએ તમામ દર્દીઓને માસ્ક પહેરવા અને તેનો ઉપયોગ કરી નિકાલ કરવા, સામાજીક અંતર રાખવા અને આરોગ્યની સંભાળ કેવી રીતે રાખવી તે માટે જાણકારી આપી હતી. એમ્બ્યુલન્સ દ્રારા તમામ દર્દીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. કોરોના વાયરસ માંથી મુક્ત થતા દર્દીઓએ ડોકટર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમના તેમના પરિવારના તંદુરસ્ત આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *