જૂનાગઢ: માંગરોળ ફકીર સમાજ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બનેલી બળાત્કારની ઘટનામાં ન્યાય મેળવવા માંગરોળ ફકીર સમાજ દ્વારા મામલદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ફકીર સમાજની સગીર વયની દીકરી પર ભાજપના આગેવાનએ અમાનવીય કૃત્ય આચરીને બાળાને વીંખી નાખી બળાત્કાર ગુજારેલ છે, તેમજ અન્ય લોકોએ પણ આ કુત્યમાં મદદ કરેલ છે, જેને લઇ આ નરાધમોને કડક સજા કરવામાં આવે, તેમજ આ આપરાધમાં જેટલા લોકો સામેલ છે, તેમને ઝડપી લેવામાં આવે તેવી માંગણી સાથે માંગરોળ ફકીર સમાજ પ્રમુખ ઈસ્માઈલ સહિતના આગેવાનો દ્વારા રોષપૂર્વક મામલતદાર મારફતે મુખ્યમંત્રી ને આવેદન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *