ભાવનગર જિલ્લામાં કોરોનાની જબરદસ્ત ફટકા બાજી: આજે પણ હાફ સેન્ચુરી, લોકોમાં ભય નો માહોલ.

Bhavnagar Corona Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

કારોનાના ૫૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામા આજરોજ ૫૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૨૯૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૯ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ ગામ ખાતે ૧,મહુવા ખાતે ૪, પાલીતાણા ખાતે ૩, પાલીતાણા તાલુકાના રણપરડા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના મોખડકા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૪, સિહોર તાલુકાના ઘાંઘણી ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ખાતે ૩ તેમજ તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૧૪ એમ કુલ ૩૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૨,૨૯૭ કેસ પૈકી હાલ ૪૮૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૭૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *