નર્મદા જિલ્લાના અનેક કોરોના ગ્રસ્ત વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. અત્રેના જિલ્લામાં નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાઓમાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની તંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેમાં રાજપીપલા નગરપાલિકા વિસ્તારની ચંદ્રવિલા સોસાયટીના કનૈયાલાલ આર માછીના ઘરથી અમીતભાઈ શાહના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૨ અને કુલ વસ્તી આશરે-૦૫, લીમડા ચોકના– રાજ સાયકલ સ્ટોરની સામે સુશીલાબેન જે માછીનું ઘર જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૧ અને કુલ વસ્તી આશરે-૧૨ તેમજ નાંદોદ તાલુકાનું કુંવરપુરા ગામની નિશાળની પાછળનો વિસ્તાર ભુરાભાઈ હરિયાભાઈ વસાવાના ઘરથી રમણીબેન હરિયાભાઈ વસાવાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૧૨,વડીયા ગામની ધનલક્ષ્મી સોસાયટીનું ઘર નં. /૧૦ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૧ અને કુલ વસ્તી આશરે-૦૪ અને કેવડીયા કોલોની જુના સરકારી દવાખાનાના હોલ નં.૧ અને ૨ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૨ હોલ અને કુલ વસ્તી આશરે-૯૮ દર્શાવાઈ છે, જેને કોવિડ-૧૯ એરિયા તરીકે જાહેર કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *