ગાંધીનગરમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, શિક્ષણ મંત્રીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.

રાજ્યમાં આજે ધોરણ – 10 અને 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં પણ ધોરણ – 10 અને 12 મળીને કુલ 44 હજાર 988 વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આજે ગાંધીનગરની સેક્ટર 23 સ્થિત ગુરૃકુલ વિદ્યાલયમાં શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી આવકાર્યા હતા. ગાંધીનગર જિલ્લામાં આજથી ધોરણ […]

Continue Reading

રાજકોટમાં સૌની યોજના મારફત ન્યારી ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા, શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળશે.

મેયરે સરકારને પત્ર લખી પાણીની માંગ કર્યાના એક મહિના બાદ 200 MCFT પાણીનો જથ્થો ન્યારી ડેમમાં ઠલવાયો. રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી સરકારના સમય દરમિયાન માત્ર 10 દિવસમાં જ સૌનીનું […]

Continue Reading

વડોદરામાં ધો-10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે આવકાર, પ્રાયશ્ચિત પેટી પણ મુકાઇ.

વડોદરા શહેર અને જિલ્લામાં 70494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વડોદરાથી ગુજરાતભરમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે અને ફૂલ તેમજ ગોળ-ધાણા ખવડાવી ને ખાવ કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાયશ્ચિત પેટી પણ મુકવામાં આવી હતી. જેમાં તેઓ […]

Continue Reading

સાબરમતી પર બ્રિજની કામગીરી શરૂ, નદી પર લગભગ 500 મીટર લાંબા કોંક્રિટ બ્રિજ માટે 5 પિલર તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી હાઈસ્પીડ (બુલેટ) ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી નદી પર બ્રિજ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. લગભગ 500 મીટર લાંબા આ કોંક્રિટ બ્રિજ માટે નદીમાં 8 પિલર તૈયાર કરવામાં આવશે, જેની ઊંચાઈ લગભગ 13.8 મીટર હશે. શાહીબાગ અને સાબરમતી વચ્ચે નદી પર આવેલા રેલવે બ્રિજની બાજુમાં અને તેને સમાંતર આ બ્રિજ […]

Continue Reading

ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ ખાતે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમ જ ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા (જી.એ.એસ) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ- 1951ની કલમ- 33-1-ખ અન્વયે મળેલ અધિકારની રૂએ હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા […]

Continue Reading

ઉપલેટાના સેવંત્રામાં ખેડૂતે 15 વીઘામાં સૂર્યમુખીનું વાવેતર કરીને ઓછા ખર્ચે સારું પરિણામ મેળવ્યું.

ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામના ખેડૂતે આ વર્ષ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક અને આકર્ષણનું કેન્દ્ર બને તેવી ખેતી કરી છે જેમાં ખેડૂતે અંદાજીત ૧૫ વીઘાના ખેતરમાં સૂર્યમુખીનું વાવેતર કર્યું છે ત્યારે વાવેતર બાદ ખેતરમાં સારૂ પરિણામ જોવા મળતા ખેડૂતના ચહેરા પર રાજીપો જોવા મળ્યો હતો કારણ કે ઓછા ખર્ચામાં સારૂ પરિણામ મળતા ખેડૂતે અન્ય ખેડૂતને પણ […]

Continue Reading

આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં 125 કલાકાર ભાગ લેશે.

દેશ જ્યારે આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત ના પસંદ કરાયેલા 75 શહેરો અને નગરો ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક અમૃત યાત્રા શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયા […]

Continue Reading

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, લાખો વિદ્યાર્થીઓ માટે નિર્ણયાત્મક દિવસોની શરૂઆત.

આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. રાજ્યભરમાંથી અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની રાજ્યભરમાંથી 9,64,529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં ધોરણ 10 અને 12 […]

Continue Reading

કોરોના ના કારણે 2 વર્ષ બાદ બોર્ડ પરીક્ષાનો માહોલ, છોટાઉદેપુર જિલ્લામાં બોર્ડના 22 હજાર છાત્રોની ‘કસોટી’

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ તા. 28 માર્ચ 2022થી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં માં ધો.10ના 15198, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1234 અને સામાન્ય પ્રવાહના 6069 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસીની પરીક્ષા અર્થે ફાળવેલ કેન્દ્રો […]

Continue Reading

બોર્ડની પરીક્ષા હોવાથી ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ લીમખેડા તાલુકામાં પોલીસે 9 જેટલા ડીજે જપ્ત કર્યા.

દાહોદ જિલ્લામાં 28 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાના અનુસંધાને દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ બાબતે લીમખેડા PI એમ.જી.ડામોરે ડીજે સંચાલકોને અખબારી યાદીના માધ્યમથી ચેતવણી પણ જાહેર કરી હતી. તેમ છતાં પણ લીમખેડા તાલુકામાં ડીજે સંચાલકો દ્વારા મોડી રાત સુધી મોટા અવાજે બેધડક ડીજે વગાડવામાં આવી રહ્યાં […]

Continue Reading