દાહોદમાં કાળાબજારિયાઓને નશ્યત કરવા તાલુકાના અધિકારીઓને કલેક્ટરશ્રીની સૂચના

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ તાલુકાના અધિકારીઓને કાળા બજારિયાઓને નશ્યત કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. તાલુકા મથકના અધિકારીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના મારફત યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રીએ આ સૂચના આપી છે. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, લોકો તરફથી એવી રાવ મળી રહી છે કે કેટલાક વેપારીઓ દ્વારા જરૂરી વસ્તુઓ તથા પાનતમાકુની બનાવટની વસ્તુઓની […]

Continue Reading

દાહોદમાં ચાર મહિલાઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં કોરોનાને પરાસ્ત કરનાર ચાર મહિલાઓને આજે હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં દાહોદમાં કુલ આઠ દર્દીઓ કોરોનાની મહાવ્યાધિમાંથી મુક્ત થયા છે. આ સાથે દાહોદમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ હવે કુલ ૮ જ રહ્યા છે. ગત તારીખ ૧૮ના રોજ અમદાવાદથી દાહોદના જૂની કોર્ટ વિસ્તારમાં આવેલી ત્રણ મહિલાઓ નામે ૬૦ વર્ષના […]

Continue Reading

દાહોદ: લીમખેડાના ક્વોરોન્ટાઇન સેન્ટરમાં અંતેવાસીઓના આરોગ્યનું થાય છે સતત નિરીક્ષણ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સવારસાંજ પોષક અને સ્વાદિષ્ટ ભોજન સાથે અંતેવાસીઓને હળવી કસરતો અને યોગાસનો કરાવવામાં આવે છે ક્વોરોન્ટાઇન સેન્ટરને સવાર અને સાંજ એમ બે વખત સેનિટાઇઝ કરવામાં આવે છે, રોજ અંતેવાસીના આરોગ્યની થાય છે તપાસ ક્વોરોન્ટાઇન આમ તો કોમ્પ્યુટર સાયન્સનો શબ્દો છે પણ, કોરોના વાયરસના સંક્રમણ કાળમાં તેનો બહુધા ઉપયોગ થઇ રહ્યો છે. તેનો મતલબ […]

Continue Reading

દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની થતી ખરીદી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખરીદી આગામી તા. ૩૧ સુધી ચાલું છે. જેમાં ઘઉં માટે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ અને ચણા માટે ગુજકોમાસોલ એમ બે એજન્સી નિયત કરવામાં આવી છે. ઘઉં માટે રૂ. ૧૯૨૫ પ્રતિ ક્વિન્ટલ અને ચણાના રૂ. ૪૮૭૫ પ્રતિ […]

Continue Reading

દાહોદમાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં કુલ ૨૨ વ્યક્તિઓએ કોરોનાને હરાવી સાજા નરવા થઇ ગયા, હાલ કુલ ૧૨ એક્ટિવ કેસ દાહોદમાં તા 27 વધુ ચાર દર્દીઓએ જીવલેણ વાયરસ કોરોનાને માત આપી છે. છેલ્લા દસ દિવસથી ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ ચાર દર્દીઓને કોરોનાના એક પણ લક્ષણ જોવા ના મળતા સરકારની નવી નીતિ મુજબ તેમને રજા […]

Continue Reading

દાહોદ: કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનામાં પાઇપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ નાની ક્યારથી અદલવાડા સુધી ૧૨૫ કિ. મિ. લાઇન નાખી દેવાઇ, ૫૦ કિ. મિ. ફિડર લાઇનનું કામ પણ પૂર્ણ હવે માત્ર વીજ લાઇન નાખવાનું કાર્ય બાકી, ગોઠીબના પમ્પિંગ સ્ટેશનમાં વીજ લાઇન મળી ગઇ, બાકીના ત્રણમાં ઝડપથી વીજળી આપી દેવાશે યોજના પૂર્ણ થતાં દાહોદના ૫૪ તળાવો, પાંચ જળાશયો અને ત્રણ નદીઓમાં પાણી ભરાતા નંદનવન […]

Continue Reading

દાહોદ: પરિણીતાનું ૪ મહીના બાદ પરિવાર સાથે પુન: મિલન કરાવતું દાહોદનું સખી વન સ્ટોપ સેન્ટર

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ હાલ કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે, તંત્રની સાથે ભારત સરકાર પુરસ્કૃત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલીત દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ સતત ૨૪ કલાક પોતાની સેવા આપી રહ્યુ છે. આવા એક કેસમાં એક પરિણીતાને ચાર માસ તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. વાત […]

Continue Reading

મનરેગા હેઠળ સૌથી વધુ શ્રમિકોને રોજગારી આપવામાં દાહોદ જિલ્લો રાજ્યમાં પ્રથમ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ જિલ્લાની ૫૩૩ ગ્રામ પંચાયતો પૈકી ૫૦૯ પંચાયતોમાં મનરેગા હેઠળ થતા વિવિધ કામોમાં ૧.૬૩ લાખ લોકોને રોજગારી મળી દાહોદ તા ૨૬ સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય બાંહેધરી યોજના હેઠળ શ્રમિકોને કામ આપવામાં પ્રથમ રહ્યો છે. જિલ્લાની ૫૩૩ ગ્રામ પંચાયતો પૈકી ૫૦૯ પંચાયતોમાં મનરેગા હેઠળ વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં […]

Continue Reading

દાહોદ: બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં બીનજરૂરી રીતે બહાર ના નીકળવાની જાહેર અપીલ કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. છૂટછાટ કોરોનાએ લીધી નથી. એટલે હજુ પણ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ગરીબ, મધ્યમવર્ગ અને […]

Continue Reading

દાહોદમાં લોકડાઉનમાં પશુમાત્રની ખેવના, ત્રણ ગૌશાળાને રૂ. ૫.૧૬ લાખનું અનુદાન ફાળવવામાં આવ્યું

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ રાજ્ય સરકારે પશુઓ પ્રત્યે દાખવેલી અનેરી સંવેદનશીલતા લોકડાઉનમાં સખાવતને અસર પડતા જિલ્લાની ત્રણ ગૌશાળાના ૬૮૮ પશુઓ માટે અનુદાન ફાળવવામાં આવ્યું લોકડાઉનના સમયગાળામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૧૭૧ કેસમાં સ્થળ ઉપર જઇને પશુની સારવાર કરવામાં આવી લોકડાઉનમાં સમયમાં માત્ર નાગરિકો જ નહીં પણ પશુમાત્રને કોઇ તકલીફ ના પડે એની ખેવના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના […]

Continue Reading