ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ ઈન્સ્ટિટ્યૂટના સ્થાપના દિનની ઉજવણી, ‘આવનારા વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટેની દૂરદર્શિતા’ પર વ્યાખ્યાન યોજાયું.

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીક્લ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CSMCRI)માં ગત રવિવાર અને 10 એપ્રિલના રોજ સંસ્થાના 69મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના સભાગૃહમાં તથા ઓનલાઇન પ્લેટફોર્મ થકી સફળ સંચાલન કરવામા આવ્યું હતું. સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. બિશ્વજીત ગાંગુલીએ ઉપસ્થિત રહેલ મહેમાનો તથા શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત કર્યું હતું તથા સંસ્થાની સંશોધન સિદ્ધિઓ, અવોર્ડ્સ, […]

Continue Reading

રાખી સાવંતને બે મિત્રોએ બ્રાન્ડ ન્યૂ BMW ગિફ્ટમાં આપી, હજી મહિના પહેલાં જ શોરૂમમાંથી નિરાશ થઈને બહાર આવી હતી.

રાખી સાવંત પોતાની કોમેડીથી ચાહકોને હસાવતી જોવા મળે છે. સો.મીડિયામાં તે ઘણી જ એક્ટિવ છે. રાખી સાવંતને BMW કાર ગિફ્ટમાં મળી છે. હજી થોડાં મહિના પહેલાં જ રાખીએ એમ કહ્યું હતું કે તેની પાસે 50-60 લાખ રૂપિયા નથી કે તે નવી કાર ખરીદી શકે. લાલ રંગની BMW કાર ગિફ્ટમાં મળી. કાર પર કેક મૂકવામાં આવી […]

Continue Reading

‘પરિન્દા’ના એવોર્ડ વિજેતા સ્ક્રિપ્ટ રાઈટર શિવ સુબ્રમણ્યમનું નિધન.

બોલિવુડના જાણીતા અભિનેતા તથા  સ્ક્રિપ્ટ રાઇટર શિવ સુબ્રમણ્યમનુ નિધન થતાં બોલિવુડમાં શોકની લહેર છવાઈ છે. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘પરિન્દા’ અને ‘૧૯૪૨- એ લવ સ્ટોરી’ ઉપરાંત સુધીર મિશ્રાની હઝારો ખ્વાહિશે ઐસી, ચમેલી  તેમજ અર્જુન પંડિત, ઇસ રાત કી સુબહ નહીં અને તીન પત્તી જેવી ફિલ્મોના લેખક તરીકે તેઓ જાણીતા હતા. ‘પરિન્દા માટે તેમને બેસ્ટ સ્ક્રિપ્ટ […]

Continue Reading

ઉત્તરવાહીની માં નર્મદા પંચકોશી પરિક્રમાના 10મા દિવસે 15 હજાર પરિક્રમાવાસી આવ્યા.

ભારતમાં એક માત્ર નર્મદા મૈયાની પરિક્રમા થાય છે. નર્મદા જિલ્લાના માં નર્મદા મૈયા ઉત્તરદિશા તરફ વહેતી હોય જે ઉત્તરવાહિની માં નર્મદાની પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. જેને પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે. જેની પરિક્રમા કરવાથી ઘણો લાભ થાય છે. અને તમામ માનેલી બાધાઓ પૂર્ણ થાય છે. મોક્ષ અપાવે છે. મુખ્ય નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય મળે […]

Continue Reading

કનોડામાં સમસ્ત રબારી સમાજે રૂ. 60 લાખના ખર્ચે તૈયાર કરેલી સધીમાઁ સમાજવાડીનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરાયું.

બહુચરાજી તાલુકાના કનોડા ગામે રૂ. 60 લાખના ખર્ચે બંધાયેલી સમસ્ત રબારી સમાજની વાડીનું ઉદ્ઘાટન મહંત બળદેવદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા દાતા સન્માન તેમજ ભુવાજીઓના સન્માન સમારંભમાં મહંત બળદેવદાસજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, જેમ મોર તેના પીંછાથી રળિયામણો લાગે તેમજ કોઈપણ સમાજની શોભા તેના દાતાઓ હોય છે. માલધારી સમાજ આજે દેવ દેવીઓની […]

Continue Reading

સંખેડા ગામમાં વોટર વર્ક્સના પાણીના સ્તર નીચે ઉતરી ગયા, પાણી ભરાતા 30 મિનિટથી સવા કલાક જેટલો સમય વધ્યો.

ઉનાળો આકરો બનતા સંખેડા ગામને પાણી પૂરું પાડતી ચાર જેટલી ટાંકીઓ છે.તે ચાર ટાંકીઓના પાણીના સ્તર નીચા ગયા છે. પહેલા ટાંકી ભરાતા જેટલો સમય લાગતો હતો એના કરતાં 30 મિનિટથી સવા કલાક જેટલો સમય વધ્યો છે.સંખેડા ગામનું વોટરવર્ક્સ ઓરસંગ નદીના પાણી ઉપર આધારિત છે. ઓરસંગ નદીમાં પાણીના સ્તર નીચા જતાની સાથે જ ટાંકી ભરાતા લાગતો […]

Continue Reading

નૈઋત્યના દરિયાઈ પવનથી રાજ્યમાં ગરમીના મોજાને બ્રેક.

ગુજરાતમાં રાજસ્થાનના રણ પરથી બળબળતા ઉત્તરીય પવનોને બદલે બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાત માં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર  ફૂંકાવાનું શરૂ થવા  સાથે 44 સે.તાપમાને બળબળતી લૂ વર્ષાનો અનુભવ કરનાર લોકોને આજે અગનવર્ષામાં આંશિક રાહત અનુભવાઈ હતી. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં આજે દરિયો તોફાની બન્યો હતો અને માછીમારોને તા. 15 સુધી તે દરિયો નહીં ખેડવા  સૂચના જારી […]

Continue Reading

ગુજરાત યુનિવર્સિટી અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટી કરોડોની કિંમતના પ્લોટની આપ લે કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે પ્લોટના આદાન પ્રદાનની મંજૂરી આપશે. એક સરકારી માલિકીના અને એક ખાનગી. AMC પ્રથમ વખત જમીનની અસાધારણ અદલા બદલી કરી રહી છે. જેણે સોદા અંગે શંકા ઊભી કરી છે. જોકે ખાનગી જમીન માટે અદલા બદલી થનારી સરકારી જમીનની કિંમતો હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. ટીપી સ્કીમ નંબર 31માં આ પ્લોટ ગુજરાત […]

Continue Reading

3500ની વસ્તીને 12 દિવસે માત્ર 1 કલાક જ મળે છે પાણી, ઉનાળો શરૂ થતા જ પાણીની તીવ્ર અછત.

ઉનાળાની સીઝનમાં કેશોદ પંથકના અનેક ગામડાઓમાં પાણીની અછત ઉભી થઈ છે અને લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર સુધી જવુ પડી રહ્યું છે. આ ઉપરાંત પશુઓ માટે પણ પાણીની ખાસ વ્યવસ્થા કરવી પડી રહી છે. કેશોદ તાલુકાના રંગપુર ગામની વાત કરીએ તો આ ગામમાં આશરે 3500 થી 4000ની વસ્તી છે. ચોમાસા અને શિયાળાની સિઝનમાં પાણીની […]

Continue Reading

ખેડૂતોને ઓર્ગેનિક રીતે મગફળી ઉત્પાદન કરવા અપાશે પ્રોત્સાહન.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક(સજીવ) ખેતિ અંગે પરિસંવાદ યોજાયો હતો પરિસંવાદમાં ઓર્ગેનિક દવાઓનું ઉત્પાદન કરતી વિવિધ કંપનીનાં પ્રતિનિધિઓએ હાજર રહી કંપનીની ઓર્ગેનિક પ્રોડકટની માહીતી આપી હતી.ખેડૂતો પ્રાકૃતિક (સજીવ) ખેતી તરફ વળે અને મહુવા તાલુકાના મુખ્ય ચાર કૃષિ પાકો ડુંગળી, મગફળી, કપાસ અને નાળીયેરનું પ્રોસેસીંગ અને નિકાસ થાય જેનાથી ખેડુતોને તેનો સીધો લાભ […]

Continue Reading